પાકિસ્તાનમાં હિન્દુ મંદિરની તોડફોડ કરવા બદલ વધુ ૪૫ જણની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનના ખૈબર પખ્તુન્વા પ્રાંતમાં એક કટ્ટરપંથી ઇસ્લામી પાર્ટીના સભ્યોની આગેવાની હેઠળ ટોળા દ્વારા હિન્દુ મંદિરની તોડફોડ કરવા બદલ પાકિસ્તાનની પોલીસે વધુ ૪૫ જણની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા ૧૦૦ કરતાં વધુની થઈ છે. હિન્દુ મંદિરના વિસ્તરણનો વિરોધ કરતાં ટોળા દ્વારા ખૈબર પખ્તુન્વાના કારક જિલ્લામાં તેરી ગામે આવેલા આ મંદિરમાં તોડફોડ કરી તેમાં આગ ચાંપવા બદલ ૩૫૦ જણ સામે એફઆઇઆર નોંધવામાં આવ્યો છે.