ઍર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર તેમની ‘કમ્ફર્ટ’ અને ‘કમ્ફર્ટ-પ્લસ’ સ્કીમ હેઠળ પહેલાં અનુક્રમે ૨૦ અને ૨૫ કિલો લગેજ લઈ જવા મળતું હતું
ઍર ઇન્ડિયા
ઍર ઇન્ડિયા એની મેનુ બેઝ્ડ પ્રાઇસ સિસ્ટમ હેઠળ ડોમેસ્ટિક ફ્લાઇટના લોએસ્ટ ઇકૉનૉમી ક્લાસના પ્રવાસીઓને ઓછા ફૅર ઑફર કરતી હોવાથી હવે એ પ્રવાસીઓના ફ્રી લગેજની લિમિટ ૨૦ કિલોથી ઘટાડીને ૧૫ કિલો કરી છે. આ ફેરફાર બીજી મેથી અમલમાં આવી ગયો છે. ઍર ઇન્ડિયાએ ઑગસ્ટ ૨૦૨૩માં મેનુ બેઝ્ડ પ્રાઇસ અમલમાં મૂક્યું હતું, પણ એ ફૅર પ્રાઇસ સામે દરેકને એકસરખી ફૅસિલિટી આપવી શક્ય નથી એવું જણાઈ આવતાં હવે આ ફેરફાર કરવામાં આવ્યો છે. ઍર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર તેમની ‘કમ્ફર્ટ’ અને ‘કમ્ફર્ટ-પ્લસ’ સ્કીમ હેઠળ પહેલાં અનુક્રમે ૨૦ અને ૨૫ કિલો લગેજ લઈ જવા મળતું હતું, હવે એ ઘટાડીને ‘કમ્ફર્ટ’ અને ‘કમ્ફર્ટ-પ્લસ’ સ્કીમમાં ૧૫ કિલો કરાયું છે, જ્યારે ‘ફ્લેક્સી’માં એ ૨૫ કિલો રખાયું છે. ઍરલાઇન દ્વારા આ વિવિધ સ્કીમો હેઠળ પ્રવાસીઓને ઓછાં ફૅર અને અન્ય બેનિફિટ ઑફર કરતાં હોય છે. કમ્ફર્ટ-પ્લસ અને ફ્લેક્સી વચ્ચે દિલ્હી-મુંબઈની ફ્લાઇટમાં પ્રાઇસ ડિફરન્સ માત્ર ૧૦૦૦ રૂપિયાનો છે, પણ ફ્લેક્સીમાં એ સામે ૯ કિલો વધુ લગેજ લઈ જવા મળે છે. વળી એમાં જો ટિકિટ કૅન્સલ કરાવવી હોય તો પણ કોઈ એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી, એમ ઍરલાઇન દ્વારા જણાવવામાં આવ્યું હતું.