Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જગન્નાથ મંદિરમાં પાણી ભરેલાં માટલાં, હાથપંખા અને કેરી અર્પણ થયાં

જગન્નાથ મંદિરમાં પાણી ભરેલાં માટલાં, હાથપંખા અને કેરી અર્પણ થયાં

Published : 07 June, 2025 02:18 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે નિર્જળા એકાદશી નિમિત્તે અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ભક્તજનોએ પાણી ભરેલાં માટલાં, કેરી અને હાથપંખા અર્પણ કર્યાં હતાં

અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિર

અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિર


હિન્દુ સંસ્કૃતિમાં નિર્જળા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે અને ધાર્મિક જનો આ એકાદશીએ ઉપવાસ રાખે છે ત્યારે ગઈ કાલે નિર્જળા એકાદશી નિમિત્તે અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ભક્તજનોએ પાણી ભરેલાં માટલાં, કેરી અને હાથપંખા અર્પણ કર્યાં હતાં. આની પાછળનો ભાવ એવો છે કે પ્રભુએ ઉપવાસ કર્યો હોય એટલે તેમને ઉનાળાનું ફળ કેરી ધરાવવામાં આવે છે, પીવા માટે માટલાનું પાણી અને ગરમી લાગતી હોય એટલે હાથપંખો અર્પણ કરવામાં આવે છે. કહેવાય છે કે આખા વર્ષની એકાદશી તમે કરો કે ન કરી શકો, પણ એક નિર્જળા એકાદશી કરો તો તેમને ૧૨ મહિનાની એકાદશી જેટલું પુણ્ય મળે છે. તસવીર ઃ જનક પટેલ.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 02:18 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK