એસટીની હડતાળના પગલે તાત્કાલિક ખાનગી બસ સેવા શરૂ કરવાનો સરકારનો નિર્ણય
એસટીની હડતાળ બાદ સરકારનો નિર્ણય
પોતાની પડતર માંગણીઓ ન સંતોષાતા એસટીના કર્મચારીઓએ હડતાલ અચોક્કસ મુદ્દત સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. જેના લીધે રાજ્યની પરિવહન સેવાને અસર પડી છે. હડતાલના કારણે રોજિંદા મુસાફરોને હાલાકી ન પડે તે માટે અમદાવાદના વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય છે.
અમદાવાદમાં ખાનગી બસ સંચાલકો એસ.ટી. ના નિયત ભાડાથી એસટીના પિકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરોને સેવા પુરી પાડશે. ખાનગી બસ સંચાલકો સાથે વહીવટી તંત્રએ કરેલી બેઠકમાં બસ સંચાલકોએ સહમતિ આપી છે. હાલની સ્થિતિને જોતા તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
અમદાવાદના બસના રૂટ અને તેના માટેના પિકઅપ સ્ટેન્ડ માટેની યાદી નીચે મુજબ છે.
ADVERTISEMENT