પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ એ વાત પર પ્રકાશ પાડ્યો કે ટિકિટ તપાસવાના પોતાના કર્તવ્યો સિવાય, પશ્ચિમ રેલવેના ટિકિટ તપાસનાર કર્મચારી કરુણા અને માનવતાનું ઉદાહરણ પણ રજૂ કરે છે.
ટ્રેનની ફાઈલ તસવીર
પશ્ચિમ રેલવેના (Western Railways) પ્રવક્તાએ એ વાત પર પ્રકાશ પાડ્યો કે ટિકિટ તપાસવાના પોતાના કર્તવ્યો સિવાય, પશ્ચિમ રેલવેના ટિકિટ તપાસનાર કર્મચારી કરુણા અને માનવતાનું ઉદાહરણ પણ રજૂ કરે છે.
Western Railways: વેસ્ટર્ન રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર (CTI) મહેશ ગિરીએ 3 મે, 2024ના રોજ દુરંતો એક્સપ્રેસમાં સવાર એક વૃદ્ધ વ્યક્તિને તેના પરિવાર સાથે મળાવીને અસામાન્ય સતર્કતા અને કરુણા દર્શાવી હતી.
ADVERTISEMENT
"ટ્રેન નંબર 12267, મુંબઈ સેન્ટ્રલ - હાપા દુરંતો એક્સપ્રેસમાં તેમની ફરજ દરમિયાન, ગિરીને જાણ કરવામાં આવી હતી કે સુરેન્દ્રનગર સ્ટેશન પર રમેશ જોશી નામના 74 વર્ષના મુસાફર ગુમ થઈ ગયેલ છે. મુસાફરની પુત્રી પાસેથી માહિતી મળતાં મહેશ ગિરી દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. "રાજકોટ કંટ્રોલ ઑફિસ સાથે કનેક્ટ કરીને ગુમ થયેલા પેસેન્જરને શોધવા માટે ઓનબોર્ડ ટીમને નિર્દેશ આપ્યો," પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
"એવું જાણવા મળ્યું કે જોષી સુરેન્દ્રનગર સ્ટેશન પર ચાલતી વખતે કોચ નંબર M-2 પાસે પડ્યા હતા. સદનસીબે, મુસાફરોએ તેમને મદદ કરી અને ઓનબોર્ડ સ્ટાફને ચેતવણી આપી. જોશી, જે સ્મૃતિ ભ્રંશથી પીડિત છે, તેઓ ફક્ત તેમની પુત્રીનું નામ જ યાદ રાખી શકતા હતા. સાવચેતી સાથે મહેશ ગિરીની, ઑનબોર્ડ ટીમે તેમની ઓળખની પુષ્ટિ કરી અને તેમને તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે ભેટો કરાવ્યો” અધિકારીઓએ ઉમેર્યું.
પશ્ચિમ રેલવેના (Western Railways) પ્રવક્તાએ જણાવ્યું કે તેમની ટિકિટ ચેકિંગ ફરજો ઉપરાંત, પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફ કરુણા અને માનવતાનું ઉદાહરણ આપે છે. તેઓ મુસાફરોને વિવિધ રીતે સહાય પૂરી પાડે છે, જેમાં તાત્કાલિક તબીબી સહાયની વ્યવસ્થા કરવી, પ્રવાસીઓને ખોવાયેલી વસ્તુઓ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવી અને ગુમ થયેલ વ્યક્તિઓને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં રોડને પહોળો કરવા તેમ જ રેલવેલાઇનના કામ માટે આશરે ૪૫૦ ઝાડને કાપવામાં આવશે. ઈસ્ટર્ન ફ્રીવેના સર્વિસ રોડને પહોળો કરવા માટે ૩૮૨ ઝાડ વચ્ચે આવે છે એ પૈકી ૩૧૬ ઝાડ કાપવામાં આવશે અને ૬૬ ઝાડનું પુનર્વસન કરવામાં આવશે. બીજી તરફ ગોરેગામ-બોરીવલી છઠ્ઠી રેલવેલાઇન માટે મલાડ-પૂર્વ અને પશ્ચિમમાં પણ અનુક્રમે ૧૩૦ અને ૨૨૭ ઝાડ વચ્ચે આવે છે. આ માટેનો પણ એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે, પણ એવું માનવામાં આવે છે કે આ પ્રસ્તાવમાં પ્રિન્ટિંગ-મિસ્ટેકને કારણે ૧૩૦ ઝાડ કાપવાનું જ બતાવવામાં આવ્યું છે. કાંદિવલીના લાલજીપાડામાં પ્રસ્તાવિત પુલ માટે ૪ ઝાડ કાપવામાં આવશે. આ સિવાય વડાલામાં ભક્તિપાર્કથી જીજામાતા ચોક સુધીના સર્વિસ રોડને આશરે ૬૫ કરોડ રૂપિયાના ખર્ચે ૪૦ મીટરથી વધારીને ૬૦ મીટરનો બનાવવામાં આવશે અને એના માટે પણ અમુક ઝાડનું નિકંદન કાઢવામાં આવશે.