Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બનાસકાંઠામાંથી કૂવા રીચાર્જ અભિયાનનો આરંભ કરાવ્યો ભૂપેન્દ્ર પટેલે

બનાસકાંઠામાંથી કૂવા રીચાર્જ અભિયાનનો આરંભ કરાવ્યો ભૂપેન્દ્ર પટેલે

Published : 31 May, 2025 12:04 PM | Modified : 01 June, 2025 06:45 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે એવા મંત્ર સાથે જળસંચય કાર્યો કરવાની કરી અપીલ

ભૂપેન્દ્ર પટેલ, સી. આર. પાટીલ, શંકર ચૌધરી, બલવંતસિંહ રાજપૂત અને હર્ષ સંઘવી રીચાર્જ કૂવા નિર્માણના આરંભમાં સહભાગી થયા હતા

ભૂપેન્દ્ર પટેલ, સી. આર. પાટીલ, શંકર ચૌધરી, બલવંતસિંહ રાજપૂત અને હર્ષ સંઘવી રીચાર્જ કૂવા નિર્માણના આરંભમાં સહભાગી થયા હતા


ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલા જળશક્તિ અભિયાન ‘કૅચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાંથી કૂવા રીચાર્જ અભિયાનના ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવીને સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્ર સાથે જળસંચય કાર્યો કરવાની અપીલ કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામથી અભિયાનનો આરંભ કરાવીને ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય એવા ઉમદા હેતુથી નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. બનાસકાંઠાના જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ ૫૦,૦૦૦ રીચાર્જ કૂવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ ડેરીના સહયોગથી ૨૫,૦૦૦ રીચાર્જ કૂવા બનાવવાના છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2025 06:45 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK