Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > લવ જિહાદ વિરુદ્ધ ગુજરાતમાં મોરચો

લવ જિહાદ વિરુદ્ધ ગુજરાતમાં મોરચો

17 March, 2023 11:54 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

બીજેપી અને કૉન્ગ્રેસના વિધાનસભ્યે દીકરીઓની સલામતી માટે થઈને ગુજરાત વિધાનસભામાં ઉઠાવ્યો મુદ્દો અને કહ્યું કે અસામાજિક તત્ત્વો દીકરીને ફોસલાવી-લલચાવી મૅરેજ કરી લે છે ત્યારે કોર્ટ-મૅરેજમાં માતા-પિતાની સહી અને સંમતિ જરૂરી બનાવો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લવ જિહાદના કિસ્સા બહાર આવ્યા છે અને અસામાજિક તત્ત્વો દીકરીને ફોસલાવી-લલચાવી મૅરેજ કરી લે છે ત્યારે આવા કિસ્સામાં કોર્ટ-મૅરેજમાં માતા-પિતાની સહી અને સંમતિ જરૂરી બનાવવાની માગણી ગઈ કાલે ગુજરાત વિધાનસભા ગૃહમાં થઈ હતી. દીકરીઓની સલામતી માટે થઈને બીજેપી અને કૉન્ગ્રેસના વિધાનસભ્યે ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો તેમ જ ગામમાં જ લગ્નની નોંધણી અને લગ્ન થવાં જોઈએ એવી રજૂઆત કરી હતી.

ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે કાયદા વિભાગની માગણીઓ પર ગૃહમાં ચર્ચા હતી એ દરમ્યાન કાલોલના બીજેપીના વિધાનસભ્ય ફતેસિંહ ચૌહાણ અને વાવનાં કૉન્ગ્રેસનાં વિધાનસભ્ય ગેનીબહેન ઠાકોરે લવ-મૅરેજનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજેપીના વિધાનસભ્ય ફતેસિંહ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લવ-મૅરેજ થાય છે અને છોકરા-છોકરી અન્ય જિલ્લામાં લગ્ન કરી નોંધણી કરાવે છે. માતા-પિતાને પાછળથી એની ખબર પડે છે. અમારા વિસ્તારમાં ઘણા કિસ્સા બન્યા છે અને એના કારણે ક્રાઇમ રેટ ઊંચો થતો જાય છે.



આ પણ વાંચો: પાકિસ્તાનમાં ​કિડનૅપર્સે મુસ્લિમ બનવા ના પાડનારી હિન્દુ મહિલા પર બળાત્કાર કર્યો


વિધાનસભા ગૃહમાં મેં માગણી કરી હતી કે માતા-પિતાની સંમતિ સિવાય કોર્ટ-મૅરેજ ન થવા જોઈએ. સ્થાનિક પંચોની હાજરીમાં અને ગામમાં નોંધણી થવી જોઈએ, જેના કારણે માતા-પિતાને પ્રૉબ્લેમ ન આવે. અસામાજિક તત્ત્વો લલચાવી-ફોસલાવી આવાં લગ્નો કરી લેતાં હોય છે. પ્રેમલગ્ન થયાં પછી બે-ત્રણ વર્ષમાં સંબંધ તૂટી જતો હોય છે ત્યારે ઘણા કિસ્સામાં દીકરીને માતા-પિતા નથી રાખતાં કે નથી પેલો રાખતો ત્યારે દીકરી માટે મોટી મુશકેલી આવે છે.’

 કૉન્ગ્રેસનાં વિધાનસભ્ય ગેનીબહેન ઠાકોરે કહ્યું હતું કે ‘અસામાજિક તત્ત્વો દીકરીની નાદાનીનો લાભ લઈને ફોસલાવી લવ-મૅરેજ કરી લે છે. કોઈ પણ દીકરી લવ-મૅરેજ કરે એની સામે કોઈ વાંધો ન હોઈ શકે, પણ આવા લગ્નની નોંધણી જે-તે ગામની દીકરી હોય એ ગામમાં એનાં લગ્નની નોંધણી થવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 11:54 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK