સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા એક વિડિયોમાં આ મહિલા એમ કહેતી જોવા મળી હતી કે ઉમરકોટ જિલ્લામાં સમરાઓ ટાઉનમાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કરાચી (પી.ટી.આઇ.) : પાકિસ્તાનમાં હિન્દુ બાળકીઓ અને મહિલાઓનું અપહરણ કરીને તેમને બળપૂર્વક મુસ્લિમ બનાવવાની વધુ એક ઘટના બહાર આવી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક મૅરિડ હિન્દુ મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું. કિડનૅપર્સે તેને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે ફોર્સ કર્યો. આ મહિલાએ તેનો ધર્મ બદલવાની ના પાડી તો કિડનૅપર્સે તેના પર બળાત્કાર કર્યો હતો. સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા એક વિડિયોમાં આ મહિલા એમ કહેતી જોવા મળી હતી કે ઉમરકોટ જિલ્લામાં સમરાઓ ટાઉનમાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. એક સ્થાનિક હિન્દુ નેતાએ જણાવ્યું હતું કે પોલીસે હજી સુધી આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો નથી.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)