Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈ-વિરાર કૉર્પોરેશન ગોવિંદાઓને ૧૦ લાખ રૂપિયાનું વીમા-કવચ આપશે

વસઈ-વિરાર કૉર્પોરેશન ગોવિંદાઓને ૧૦ લાખ રૂપિયાનું વીમા-કવચ આપશે

Published : 01 August, 2026 10:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક જ સ્થળેથી ઉત્સવના આયોજન માટેની તમામ મંજૂરીઓ મળી શકે એ માટે ટૂંક સમયમાં જ સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


દહીહંડી ઉત્સવને ધ્યાનમાં રાખીને વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) દ્વારા ઉત્સવમાં ભાગ લેનારા ગોવિંદાઓ માટે ૧૦ લાખ રૂપિયાના વીમા-કવચની જાહેરાત કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમામ ગોવિંદા મંડળોને વીમા-ફૉર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે એને વહેલી તકે વૉર્ડ-ઑફિસ અથવા VVMCના હેડક્વૉર્ટર પર જમા કરાવવાની અપીલ કરવામાં આવી છે, જેથી આ વીમા-યોજનાનો લાભ સુનિશ્ચિત કરી શકાય.

દહીહંડીની તૈયારીઓ વિશે ચર્ચા કરવા માટે યોજાયેલી બેઠકમાં ગોવિંદા પથકના પ્રતિનિધિઓ, ઉત્સવના આયોજકો, પોલીસ વિભાગ, ટ્રાન્સપોર્ટ વિભાગ, મહાવિતરણ (વીજ કંપની) અને ફાયરબ્રિગેડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગયા વર્ષે VVMC દ્વારા ૯૯ ગોવિંદા ટીમોના કુલ ૬૬૫૨ ગોવિંદાઓને ૧૦ લાખ રૂપિયા સુધીનું વીમા-કવચ આપવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK