વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વધુ ત્રણ ટ્રેનોનું ભૂમિપૂજન કરશે
નરેન્દ્ર મોદી
રાજ્યની વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં ૧૯,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ત્રણ મેટ્રો કૉરિડોરનો શિલાન્યાસ કરશે. મુંબઈની મુલાકાત દરમ્યાન મોદી શહેરના હરિયાળીથી આચ્છાદિત વિસ્તાર આરે કૉલોનીમાં વિવાદાસ્પદ મેટ્રો ભવનનું પણ ભૂમિપૂજન કરશે.
આ પણ વાંચો : મોદી સરકાર 2.0ના 100 દિવસ પૂરા, સરકારે લીધા આ મહત્વના નિર્ણયો
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી એલિવેટેડ લાઇન્સ ધરાવતા જે ત્રણ મેટ્રો પ્રોજેક્ટ્સની જાહેરાત કરશે એમાં ૯.૨ કિલોમીટર લંબાઈનો ગાયમુખ-શિવાજી ચૌક (મીરા રોડ)- મેટ્રો-૧૦ કૉરિડોર, ૧૨.૮ કિલોમીટર લંબાઈનો વડાલા-સીએસએમટી મેટ્રો-૧૧ કૉરિડોર અને ૨૦.૭ કિલોમીટર લાંબા કલ્યાણ-તલોજા મેટ્રો-૧૨ કૉરિડોરનો સમાવેશ છે.