Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદઃ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, કારચાલકે 5 વાહનોને લીધા અડફેટે

અમદાવાદઃ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, કારચાલકે 5 વાહનોને લીધા અડફેટે

22 April, 2019 08:05 AM IST | અમદાવાદ

અમદાવાદઃ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, કારચાલકે 5 વાહનોને લીધા અડફેટે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અમદાવાદમાં એક કારચાલકે એક સાથે 5 વાહનોને અડફેટે લઈ લીધા. જાણે રસ્તા પર અકસ્માત સર્જવા જ નીકળ્યો હોય તેમ આ કારચાલકે એક બાદ એક 5 વાહનોને ટક્કર મારી.

મળતી માહિતી મુજબ ઘટના અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે બની છે. જેમાં એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી 5 વાહનોને ટક્કર મારી. આ અકસ્માતમા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, તો 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.



ઘટના રવિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં કારચાલકે બેફામ રીતે કાર હંકારી અને 1 વ્યક્તિનો ભોગ લીધો. કારચાલકે બેફામ રીતે કાર ચલાવીને એક રિક્ષા, એક બાઈક, કાર સહિત 5 વાહનોેન અડફેટે લીધા. અકસ્માતમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.


આ પણ વાંચોઃHeritage Day:જુઓ દેશના પહેલા Heritage City અમદાવાદના રૅર-અનસીન ફોટોઝ

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જો કે એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં જ મોત નીપજ્યું હતું.


અકસ્માત બાદ સ્થાનિકોએ કારચાલકને ધોલધપાટ કરીને પોલીસને હવાલે કર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ પણ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2019 08:05 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK