લાંબા સમયથી ચશ્માં પહેરતા હોય એ લોકોને નાક પર બન્ને બાજુએ નિશાન પડી જતાં હોય છે. આ નિશાનને કારણે ચહેરાનો લુક ખરાબ થઈ જાય છે. લોકોમાં એવી માન્યતા છે કે ચશ્માં રહેશે ત્યાં સુધી આ નિશાનથી છુટકારો મેળવવો અઘરો છે.
ચશ્માં પહેરીને નાક પર નિશાન પડી ગયાં છે? આ રીતે એ હટાવો
લાંબા સમયથી ચશ્માં પહેરતા હોય એ લોકોને નાક પર બન્ને બાજુએ નિશાન પડી જતાં હોય છે. આ નિશાનને કારણે ચહેરાનો લુક ખરાબ થઈ જાય છે. લોકોમાં એવી માન્યતા છે કે ચશ્માં રહેશે ત્યાં સુધી આ નિશાનથી છુટકારો મેળવવો અઘરો છે. જોકે વાસ્તવિકતામાં તમે અમુક ઘરેલુ નુસખા અજમાવીને સરળતાથી આ નિશાનમાંથી છુટકારો મેળવી શકો છો.
નાક પર નિશાન કેમ પડી જાય છે પહેલાં એ સમજવું જરૂરી છે. સામાન્ય રીતે તમારાં ચશ્માંના નોઝ પૅડ જો ખૂબ ટાઇટ હોય તો એ સતત ત્વચા પર ઘસાઈને નાકની સ્કિન પર નિશાન પાડી દે છે. ઘણા લોકોનું કહેવું હોય છે કે અમે ટાઇટ ચશ્માં નથી પહેરતા તો પણ કેમ નિશાન પડી જાય છે? તો એની પાછળ પણ ઘણાં કારણો હોઈ શકે છે. જેમ કે ચહેરાના આકાર અને માપના હિસાબે યોગ્ય ચશ્માં ન પહેરવાં. એને કારણે નાક પર પ્રેશર આવે છે અને સતત ઘર્ષણને કારણે નિશાન પડી જાય છે. એવી જ રીતે જો કોઈની ઑઇલી કે ઍક્નેવાળી ત્વચા હોય તો પણ ઇરિટેશન અને રૅશિસ થવાની સાથે નિશાન પડી જાય છે. એ સિવાય જો ફ્રેમ હેવી હોય તો એનાથી પણ ઘણી વાર નાક પર નિશાન પડી જતાં હોય છે.
આ નુસખાઓ તો જ કામ કરશે જો તમે રેગ્યુલર બેઝિસ પર ફૉલો કરતા રહેશો. ડાઘ એક જ વારમાં નહીં જાય. એને સમય સાથે ધીમે-ધીમે ઝાંખા થતાં વાર લાગશે. એવી જ રીતે જો તમને સ્કિન સંબંધિત કોઈ સમસ્યા હોય તો પહેલાં ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈને પછી જ આ ઘરગથ્થુ ઉપાયો અજમાવવા.



