કેટલાક સંજોગોમાં હાર્ટ-અટૅક અને બ્રેઇન સ્ટ્રોકને પણ નિમંત્રી શકે છે. આજકાલ વધી રહેલી આ સમસ્યા પાછળનાં કારણો અને એની ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ.
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે ઍન્જિયોપ્લાસ્ટીને હૃદયની આર્ટરી સાથે જોડવામાં આવી છે પરંતુ નિષ્ણાતોના મતે હવે પેરિફેરલ ઍન્જિયોપ્લાસ્ટી એટલે કે પગની ધમનીઓના બ્લૉકેજને દૂર કરવાની જરૂરિયાત ધરાવતા પેશન્ટની સંખ્યા વધી રહી છે. પગમાં કાળાશ થવી, થોડું ચાલો ને પગ દુખે કે ચાલ્યા વિના પણ પગમાં દુખાવો રહે જેવાં લક્ષણો પગની ધમનીઓમાં બ્લૉકેજની નિશાની હોઈ શકે. ડાયાબિટીઝના દરદીઓમાં વિશેષ જોવા મળતી આ સમસ્યા માટે જો ઉચિત સમયે યોગ્ય ટ્રીટમેન્ટ ન લેવાય તો પગમાં ગૅન્ગ્રીનને કારણે એને કાપવાથી લઈને હાર્ટ-અટૅક કે બ્રેઇન સ્ટ્રોક સુધીની સમસ્યાઓ પણ થઈ શકે



