સૈફ : તૈમૂર સ્ટાર છે, મને પાપારાઝીથી કોઇ તકલીફ નથી
સૈફ અલી ખાન (ફાઇલ ફોટો)
પરિવાર સાથે સમય પસાર કરી શકતો વ્યક્તિ અમીર : સૈફ
તે વ્યક્તિ અમીર હોય છે જે પરિવાર સાથે વધુ સમય પસાર કરી શકે છે. પરિવારમાં નાની અને પ્યારી વસ્તુઓ છે જેને લઇને ઘણીવાર એવું થતું હોય છે કે પરિવાર સાથે વધુ સમય પસાર કરું અને કામ પર જવાની ઇચ્છા ન થાય. પણ કામ તો કરવું પડશે. તૈમૂરના પાપારાઝીને લઇને મને કોઇ પ્રૉબ્લેમ નથી. તે સ્ટાર છે અને તેને સંતાડી ન શકાય. પરાગ છાપેકર સાથે વાત કરતાં તેણે પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફ વિશે ઘણાં ભેદ ખોલ્યા.
ADVERTISEMENT
પાપારાઝી બાબતે આપણાં દેશમાં સ્થિતિ સારી : સૈફ
તૈમૂરને લઇને સૈફે કહ્યું કે, તૈમૂર નામ ઘણું મોટું છે. તેથી તેને ટિન કહીને બોલાવે છે. પાપારાઝીને લઇને સૈફે કહ્યું કે, મને તૈમૂરને લઇને કોઈ તકલીફ નથી. આપણા દેશમાં પાપારાઝી ખૂબ સારા છે. પણ અન્ય દેશોમાં ખતરનાક થઇ શકે છે, જેમ કે લેડી ડાયનાનો કેસ સામે આવ્યો હતો કે તેનો અકસ્માત થઇ ગયો. આપણે ત્યાં સ્થિતિ ખૂબ જ સારી છે તેથી મને તેમનાથી કોઇ જ તકલીફ નથી. કોઇ વ્યક્તિ મારી બિલ્ડિંગની સામે બેઠો હોય અને બાળકની તસવીર લઇને છાપી નાખે તો તેનાથી શું પ્રૉબ્લેમ થાય.
સૈફે પોતાની લાઇફના પિલર્સ વિશે જણાવતાં કહ્યું કે, મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ મારી સ્ટ્રેન્થ છે. ઇન્ડસ્ટ્રીમાં મારા વધુ મિત્રો નથી. મારા મિત્રોમાં પુસ્તકો અને મારું મન એ જ મારા મિત્રો છે. સૈફ કહે છે કે, જ્યારે સમય સારો ન હોય ત્યારે હું વધારે મહેનત કરું છું, અને ખૂબ સારો ચાલે ત્યારે થોડો સુસ્ત થઇ જાઉં છું.
ઓમકારા પછીનું પાત્ર જેમાં અવાજ અને ચાલ બદલવી પડી : સૈફ
ફિલ્મ બજારને લઇને સૈફે કહ્યું કે, જ્યારે મને આ ફિલ્મ ઑફર થઇ તો ગમ્યું. ઓમકારા પછી એવું પાત્ર મળ્યું જેમાં અવાજ અને ચાલ બદલાવવી પડી. કેટલીક વાત કરવાના ઢંગ અને સારા સીન્સ લખવામાં આવ્યા. કામ ઇન્ટ્રેસ્ટિંગ હતું, રોજ એવું લાગવા માંડ્યું કે મારું જીવન પૂરું થઇ ગયું છે. બાળક સાથે સમય પસાર કરતો, પછી જિમ જતો અને પછી શૂટિંગ.
આ પણ વાંચો : તૈમૂરના ફોટો ક્લિક કરનારા ફોટોગ્રાફર્સ પર ભડક્યો સૈફ અલી ખાન
પોતાના નવા લૂક્સને લઇને સૈફે જણાવ્યું કે, આ ફિલ્મ તાનાજી માટે જેમાં તે એક વિલનનું પાત્ર ભજવે છે. તેમાં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે.