Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શું આ અભિનેત્રી હશે તારક મહેતા..ના નવા દયાભાભી?

શું આ અભિનેત્રી હશે તારક મહેતા..ના નવા દયાભાભી?

21 June, 2019 04:32 PM IST | મુંબઈ

શું આ અભિનેત્રી હશે તારક મહેતા..ના નવા દયાભાભી?

શું આ અભિનેત્રી હશે તારક મહેતા..ના નવા દયાભાભી?

શું આ અભિનેત્રી હશે તારક મહેતા..ના નવા દયાભાભી?


દિશા વાકાણી હવે તારક મહેતાનો ભાગ નહીં રહે. તેઓ શોમાં પાછા નથી ફરવાના. દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શોમાં દેખાયા નથી. દિશા વાકાણી અને શોના મેકર્સ વચ્ચે સમાધાન નથી થયું. અહેવાલો પ્રમાણે દિશાએ શોમાં પાછઆ ફરવા માટે કેટલીક શરતો રાખી હતી પરંતુ મેકર્સને તે શરતો મંજૂર નથી. જેથી આખરે તેમની શોમાંથી વિદાય થઈ રહી છે.

દિશા વાકાણી શોમાં પાછા નહીં આવે તે કન્ફર્મ થતા હવે શોના મેકર્સ નવા દયાભાભીની શોધ કરી રહ્યા છે. દયાભાભીના પાત્ર માટે ગુજરાતી પર પકડ અને ગુજરાતી ટચ હોવો જરૂરી છે. જેથી મેકર્સ આવા જ કોઈ ચહેરાને લેવા માંગે છે. જાણીતા અભિનેત્રી અમી ત્રિવેદીનું નામ પણ સામે આવી રહ્યું છે.

ami ttrivedi




કોણ છે અમી ત્રિવેદી?
અમી ત્રિવેદી ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર છે. અમી ત્રિવેદીએ બાળપણથી જ અભિનયની શરૂઆત કરી દીધી હતી. તેમણે અનેક જાણીતા નાટકોમાં અને ધારાવાહિકોમાં કામ કર્યું છે. તેમને અવૉર્ડ્સ પણ મળી ચુક્યા છે.

અમી ત્રિવેદીની કિટ્ટુ સબ જાનતી હૈ, બજેગા બેન્ડ બાજા, સજન રે જૂઢ મત બોલો, ખિચડી, રાખી, પાપડ પોલ, ચીડિયાઘર જેવી ધારાવાહિકમાં અમી ત્રિવેદી જોવા મળ્યા હતા.

શું છે અમી ત્રિવેદીનું રીએક્શન?
થોડા સમય પહેલા પણ અમી ત્રિવેદી આ શોમાં દિશા વાકાણીને રિપ્લેસ કરવાના હોવાની વાત હતી. જેના પર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતા અમીએ કહ્યું હતું કે, "હજી સુધી આ ભૂમિકા માટે મારો સંપર્ક નથી સાધવામાં આવ્યો, પરંતુ મારા મિત્રો મને કહેતા રહે છે કે મારા આ ભૂમિકા લઈ લેવી જોઈએ. હું આ ભૂમિકા માટે યોગ્ય છું. મને આ ભૂમિકા માટે ઑફર નથી મળી. મેકર્સે મારો સંપર્ક નથી કર્યો."


આ પણ વાંચોઃ સિમ્પલ બટ એલિગન્ટ છે તારક મહેતાના અંજલિ 'નેહા' મહેતા

અમી ત્રિવેદીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, "આ ખૂબ જ મોટી જવાબદારી છે. કોઈ પણ કલાકાર માટે દિશાના જૂતામાં પગ રાખવા સરળ નહીં રહે. મને ખાતરી છે કે જે પણ કલાકાર આ પાત્ર ભજવશે તેને ટીકા ટિપ્પણીઓનો સામનો કરવો પડશે કારણ કે શરૂઆતથી જ દિશા તારક મહેતા સાથે જોડાયેલા છે. હું અત્યાર આ વિશે કાંઈ નહીં કહું. જ્યારે મેકર્સ આ ભૂમિકા માટે મારો સંપર્ક કરશે ત્યારે હું બોલી શકીશ."


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 04:32 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK