Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TV Actress Krishna Mukherjee: ‘જ્યારે હું કપડાં બદલતી...’ આ ટીવી કલાકારે શૉના પ્રોડ્યુસર પર મૂક્યા આરોપ

TV Actress Krishna Mukherjee: ‘જ્યારે હું કપડાં બદલતી...’ આ ટીવી કલાકારે શૉના પ્રોડ્યુસર પર મૂક્યા આરોપ

27 April, 2024 03:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

TV Actress Krishna Mukherjee: અભિનેત્રીએ આરોપ લગાવ્યા કે શોના નિર્માતા દ્વારા સેટ પર તેની સાથે કરવામાં આવતી હેરાનગતિને કારણે તે ચિંતા અને ડિપ્રેશનનો શિકાર બની ગઈ છે.

અભિનેત્રી કૃષ્ણા મુખર્જી (તસવીર: ઇન્સ્ટાગ્રામ)

અભિનેત્રી કૃષ્ણા મુખર્જી (તસવીર: ઇન્સ્ટાગ્રામ)


કી હાઇલાઇટ્સ

  1. અભિનેત્રીને સેટ પરના મેકઅપ રૂમમાં બંધ સુદ્ધાં કરી દેવામાં આવી હતી
  2. પ્રોડ્યુસર કુંદન શાહે તેને ઘણી વખત હેરાન કરી હતી
  3. તેણે ઘણા લોકોની મદદ માંગી હતી, પરંતુ કોઈ આ મામલે કંઈ કરી શક્યું નહીં

જાણીતી ટીવી સિરિયલ `યે હૈ મોહબ્બતેં` દ્વારા ફેમસ બનેલી અભિનેત્રી કૃષ્ણા મુખર્જી (TV Actress Krishna Mukherjee)એ હાલમાં જ ખૂબ જ ગંભીર બાબતનો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે તેણે ટીવી શો `શુભ શગુન`ના મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અભિનેત્રી હાલમાં શહેઝાદા ધામી સાથે ટીવી શો `શુભ શગુન`માં કામ કરી રહી છે. આ જ સિરિયલના મેકર્સ પર તેણે આરોપ લગાવ્યા છે.

અભિનેત્રીએ મેકર્સ પર કયા આરોપ લગાવ્યા છે?



તમને જણાવી દઈએ કે અભિનેત્રી (TV Actress Krishna Mukherjee)એ તાજેતરમાં જ ટીવી સીરિયલ ‘શુભ શગુન’ના સેટ પર તેની સાથે તેની સાથે જે આપવીતી થઈ હતી તે વિષે જણાવ્યું હતું. કૃષ્ણા મુખર્જીએ આરોપ લગાવતા કહ્યું હતું કે શોના નિર્માતા દ્વારા સેટ પર તેની સાથે કરવામાં આવતી હેરાનગતિને કારણે તે ચિંતા અને ડિપ્રેશનનો શિકાર બની ગઈ છે. એટલું જ નહીં અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં સીરિયલ `શુભ શગુન`ના સેટ પર તેની સાથે બનેલી ઘટનાઓ વિશે પણ જણાવ્યું છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેને સેટ પરના મેકઅપ રૂમમાં બંધ સુદ્ધાં કરી દેવામાં આવી હતી. 


ડર્યા વગર આખરે અભિનેત્રીએ લખ્યું તેની પોસ્ટમાં આવું.. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786)


પોતાની પોસ્ટના કેપ્શનમાં અભિનેત્રી (TV Actress Krishna Mukherjee)એ લખ્યું છે કે  `આ લખતી વખતે મારા હાથ હજુ પણ ધ્રૂજી રહ્યા છે,  પરંતુ હું કહીશ. આ કારણે હું ડિપ્રેશન અને ચિંતામાંથી પસાર થઈ રહી છું. આપણે આપણી આંતરિક લાગણીઓને દબાવી દઈએ છીએ અને સોશિયલ મીડિયા પર આપણી ઉજળી બાજુ બતાવીએ છીએ. પણ આ સત્ય છે. મારો પરિવાર મને પોસ્ટ ન કરવાનું કહેતો હતો કારણ કે તેઓ હજુ પણ ડરી રહ્યા છે કે આ લોકો તમને નુકસાન પહોંચાડશે તો? પણ મારે શા માટે ડરવું જોઈએ? આ મારો અધિકાર છે અને મને ન્યાય જોઈએ છે.”

અભિનેત્રીને આ રીતે કરવામાં આવી હેરાન

તેણે કહ્યું હતું કે પ્રોડક્શન હાઉસ અને પ્રોડ્યુસર કુંદન શાહે મને ઘણી વખત હેરાન કરી છે. એક વખત તો તેઓએ મને મારા મેક-અપ રૂમમાં બંધ કરી દીધી હતી. કારણ કે હું બીમાર હતી અને મેં શૂટિંગ ન કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે તેઓ મને મારા કામ માટે પૈસા આપતા ન હતા અને હું પણ અસ્વસ્થતા અનુભવતી હતી. તેઓએ મને મારા મેક-અપ રૂમમાં બંધ કરી દીધી હતી. હું મારા કપડાં બદલી રહી હતી ત્યારે તેઓ જોરજોરથી દરવાજો ખખડાવી રહ્યા હતા જેમ કે તેઓ તેને તોડી નાખશે.

અસુરક્ષિતતા અનુભવી રહી છે અભિનેત્રી

અભિનેત્રી (TV Actress Krishna Mukherjee)નું કહેવું છે કે તેને પાંચ મહિનાથી પગાર મળ્યો નથી. તે પ્રોડક્શન હાઉસ અને દંગલ ચેનલ પર પણ ગઈ હતી, પરંતુ તેને કોઈ રિસ્પોન્સ ન મળ્યો. તે એમ પણ કહે છે કે તેણે ઘણા લોકોની મદદ માંગી હતી, પરંતુ કોઈ આ મામલે કંઈ કરી શક્યું નહીં. હવે તે જાણે ભાંગી પડી છે અને અસુરક્ષિતતા અનુભવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK