પ્રવાસીઓએ ટિકિટ બુક કરાવ્યાના એક કલાકની અંદર ઉપનગરીય સ્ટેશન પર અને બિન-ઉપનગરીય ટ્રેનના કેસમાં ત્રણ કલાકની અંદર ટ્રેનમાં ચડવાની જરૂર છે
પ્રતીકાત્મક તસવીર
રેલવેના પ્રવાસીઓ હવે ઘરે બેસીને પણ પોતાની ટિકિટ બુક કરી શકે એવી સુવિધા રેલવે દ્વારા પ્રવાસીઓને મળી રહેશે. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપતાં અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) મોબાઇલ ઍપ પર જિયો-ફેન્સિંગ પ્રતિબંધોની બાહ્ય મર્યાદા દૂર કરવામાં આવી હોવાથી પ્રવાસીઓ પ્રવાસ કરતાં પહેલાં પોતાના ઘરે બેસીને પણ સરળતાથી ટિકિટ બુક કરાવી શકે છે.
જોકે પ્રવાસીઓએ ટિકિટ બુક કરાવ્યાના એક કલાકની અંદર ઉપનગરીય સ્ટેશન પર અને બિન-ઉપનગરીય ટ્રેનના કેસમાં ત્રણ કલાકની અંદર ટ્રેનમાં ચડવાની જરૂર છે. પ્રવાસીઓ સ્ટેશનની અંદર ઍપ દ્વારા ટિકિટ બુક કરાવી શકશે નહીં. મોબાઇલ ઍપ પર UTSનો ઉપયોગ કરવાનો એક વધારાનો ફાયદો એ પણ છે કે પ્રવાસીઓને આર-વૉલેટ રીચાર્જ પર ૩ ટકા બોનસ મળશે.