Taarak Mehta Ka Ooltah Chashmah:દયાભાભીના કમબેક અંગે મોટા સમાચાર
સોની સબના ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ માટે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી આ શોમાં દયાભાભી ઉર્ફે દિશા વાકાણીના કમબેકને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. જો તમે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન છો તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. લાંબા સમયથી શોમાં દિશા વાકાણીના કમબેકની રાહ જોઈ રહેલા દર્શકોએ હજી પણ કેટલાક સમય સુધી રાહ જોવી પડે છે. દયાબેનના શોમાં કમબેક અંગે પેચ ઘણા સમયથી ફસાયેલો છે. લાંબા સમયથી એ અહેવાલ હતા કે તે ટૂંક સમયમાં જ પાછા ફરશે, તો ક્યારેક એવા સમાચાર આવ્યા હતા કે મેકર્સે તેમના બદલે અન્ય એક્ટ્રેસને કાસ્ટ કર્યા છે.
ADVERTISEMENT
હાલ એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે શોના મેકર્સને દયાબેને પાછા લાવવાની કોઈ ઉતાવળ નથી. તેમણે દયાબેનના કમબેકને હોલ્ડ પર મૂક્યુ છે. ત્યારે ફેન્સે દયાબેનને ફરી શોમાં જોવા માટે હજી પમ રાહ જોવી પડશે. મળતી માહિતી પ્રમાણે મેકર્સ દયાબેનના પાત્ર માટે એવી એક્ટ્રેશ શોધી રહ્યા છે, જે દયાબેનનું પાત્ર પરફેક્શન સાથે નિભાવી શકે. ટીમને ફેમસ સ્ટાર્સ અને ફ્રેશ ફેસને ઓડિશન માટે બોલાવ્યા પણ છે. તમને જણાવી દઈએ કે દિશા વાકાણી 2017થી શોમાંથી બહાર છે. માતા બન્યા બાદ તે ફરી ક્યારેય નથી દેખાયા.ૉ