મુંબઈમાં આવવાના અનુભવ વિશે અંશુ શ્રીવાસ્તવે કહ્યું કે ‘મુંબઈ જેવાં શહેરોમાં રહેવું ખૂબ મોંઘું છે
અંશુ શ્રીવાસ્તવ
‘સાથ નિભાના સાથિયા 2’માં જોવા મળેલી અંશુ શ્રીવાસ્તવે ઍક્ટિંગની શરૂઆત કરતાં પહેલાં ડિટેક્ટિવ એજન્સીમાં કામ કર્યું હતું. જોકે તેમનું મન એમાં નહોતું લાગતું. બાદમાં તેણે ‘વિદ્યા’ અને ‘કુલદીપક’ જેવા શોમાં કામ કર્યું હતું. મુંબઈમાં આવવાના અનુભવ વિશે અંશુ શ્રીવાસ્તવે કહ્યું કે ‘મુંબઈ જેવાં શહેરોમાં રહેવું ખૂબ મોંઘું છે અને એ પણ ત્યારે જ્યારે તમે સ્ટ્રગલ કરી રહ્યા હો. હું જ્યારે મુંબઈ આવી તો મારી પાસે આવકનો કોઈ સ્રોત નહોતો. શરૂઆતમાં તો હું મૉડલિંગ કરતી હતી, પરંતુ ત્યાર બાદ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે જવું એની કોઈ ચોક્કસ માહિતી નહોતી અને મારા ખર્ચાઓને મૅનેજ કરવા પણ મુશ્કેલ હતું. એથી મેં પ્રાઇવેટ જૉબ કરવાનું નક્કી કર્યું. મેં ડિટેક્ટિવ એજન્સીમાં ઇન્ટરવ્યુ આપ્યો અને મારું સિલેક્શન થઈ ગયું. મારું કામ ક્લાયન્ટ્સ સાથે ચર્ચા કરવાનું હતું. નોકરી તો સ્વીકારી લીધી પરંતુ અંદરથી હું ખુશ અને સંતુષ્ટ નહોતી, કારણ કે મારું લક્ષ આ નહોતું. મેં ત્યાં અઢી વર્ષ સુધી કામ કર્યું, પરંતુ દરરોજ મને એમ લાગતું કે હું શું કામ આ કામ કરું છું. એથી એક દિવસ મેં નોકરી છોડવાનું નક્કી કરી લીધું.’