પોતાના જ નહીં, કરણને બીજાના ડાયલૉગ્સ પણ યાદ હોય છે
દિવ્યાંકા ત્રિપાઠી
૬ વર્ષ ચાલેલી અને ઑડિયન્સની ફેવરિટ બનેલી સિરિયલ ‘યે હૈં મહોબ્બતેં’માં ઈશિતાનું લીડ કૅરૅક્ટર કરનારી દિવ્યાંકા ત્રિપાઠીને કરણ પટેલે ‘કસૌટી ઝિંદગી કી’ સ્વીકારી લીધી એ વાતની ખુશી પણ છે અને એનું દુઃખ પણ છે. દિવ્યાંકા કહે છે, ‘કરણ જેવા ઍક્ટર સાથે કામ કરવું એ લહાવો છે. કરણને પોતાના જ નહીં, બીજા ઍક્ટરના ડાયલૉગ્સ પણ યાદ રહે છે. જો કોઈ ખોટો ડાયલૉગ્સ બોલે તો તે તરત જ તેને યાદ દેવડાવે. હવે કરણ મિસ્ટર બજાજ બનીને ‘કસૌટી ઝિંદગી કી’માં જોવા મળશે એટલે નૅચરલી હમણાં કોઈ નવો શો નહીં લે. મને હતું કે કદાચ ફરીથી અમને બન્નેને સાથે કામ કરવા મળે.’
દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાનો શો પૂરો થયા પછી હજી કોઈ શો સાઇન નથી કર્યો. દિવ્યાંકા પાસે બે ડેઇલી સોપ અને એક વેબ-સિરીઝની ઑફર છે, પણ ૬ વર્ષ એકધારું કામ કર્યા પછી દિવ્યાંકાએ સ્વૈચ્છિક બ્રેક લીધો છે.