'ઝિંદગી' હવે ઝીફાઇવ પર
ઝી એન્ટરટેઇનમેન્ટની ૨૦૧૪માં લૉન્ચ થયેલી ચૅનલ ‘ઝિંદગી’નું કન્ટેન્ટ હવે ફરી ઝીફાઇવ પર જોવા મળશે. ઝિંદગી ચૅનલના શો એની રિલેટિવ અને બોલ્ડ સ્ટોરી તથા પાત્રાલેખનને લીધે દર્શકોમાં જાણીતી બની હતી અને હવે એના દરેક જૂના શો તેમ જ નવા શો ઓરિજિનલ કન્ટેન્ટનું હબ બનેલા ઓટીટી પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર જોવા મળશે.
‘ઝિંદગી’ના સર્જકોનો હેતુ દર્શકોને વિચારતા કરી મૂકે અને ગ્લોબલ લેવલે આકર્ષે એવી વાર્તાઓ આ પ્લૅટફૉર્મ પર લાવવાનો છે. ફૅમિલી ડ્રામાથી માંડીને રોમૅન્સ જોનરના શો અહીં જોવા મળશે; જેમાં શૅર-એ-ઝાત, ઔન ઝારા, બડી આપા, મસ્તાના માહી, નૂરપૂર કી રાની વગેરે શોનો સમાવેશ છે. ઝીફાઇવના સીઈઓએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં આ નવી સફર વિશે જણાવ્યું કે ‘ઝીની બધી જ ચૅનલો એની વિશિષ્ટ વાર્તાઓ તથા કન્ટેન્ટ વૈવિધ્ય માટે જાણીતી છે અને ઝીફાઇવ પર અમે ‘ઝિંદગી’ને નેક્સ્ટ લેવલે લઈ જઈશું. દર્શકોને જે કન્ટેન્ટ વરાઇટી જોઈએ છે એ ‘ઝિંદગી’ પૂરી પાડશે.’