પ્રતિષ્ઠિત સંસ્થામાં અભ્યાસ કરવા છતાં વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે.
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IITs)માં ૨૦૨૪ના ગ્રૅજ્યુએટ બૅચ માટે પ્લેસમેન્ટ સીઝન પ્રમાણમાં ફિક્કી છે, કારણ કે તેઓ આકર્ષક નોકરીની ઑફર મેળવવામાં અનેક પડકારનો સામનો કરી રહ્યા છે. આનું એક મુખ્ય કારણ આર્થિક મંદી છે, જે પ્લેસમેન્ટમાં પણ મંદી લાવ્યું છે. બૉમ્બે, ખડગપુર અને દિલ્હી સહિતના IIT કૅમ્પસમાં આ જ સ્થિતિ છે. એક સમયે બહોળા પ્રમાણમાં સ્ટુડન્ટ્સને હાયર કરતી કંપનીઓએ તેમની ભરતીમાં ઘટાડો કર્યો છે અને પૅકેજ પણ ઘટાડ્યું છે. કેટલીક કંપનીઓએ સૅલેરી પૅકેજ વાર્ષિક ૬૦,૦૦૦થી ૮૦,૦૦૦ રૂપિયા સુધી ઘટાડી નાખ્યું છે. પ્રતિષ્ઠિત સંસ્થામાં અભ્યાસ કરવા છતાં વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે અને તેઓ કૅમ્પસની બહાર જૉબ પોર્ટલના માધ્યમથી રોજગાર માટેના વિકલ્પ શોધી રહ્યા છે.