નિરવ બારોટનું સર્જન 'માનાં ડાકલા' થશે પહેલા નોરતે રિલીઝ
નિરવ બારોટ
ગુજરાતનાં જાણીતા લોક ગાયક નિરવ બારોટ આવતીકાલે'' રિલીઝ કરશે 'માનાં ડાકલા'. નવરાત્રી નિમિત્તે આ વર્ષે કોરોનાવાઇરસને કારણે ઘણી બધી બાબતો પર રોક લાગી ગઇ છે પરંતુ સર્જકોને બંધનો નથી નડતા. ખાસ કરીને સોશ્યલ મીડિયા જેમ કે યુ ટ્યૂબ વગેરેને કારણે કલાકારો પોતાના ફેન્સ સુધી સરળતાથી પહોંચી શકે છે અને પોતાના સર્જનોને પણ લોકો સુધી પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
જાણીતા લોક ગાયક નિરવ બારોટે 'માનાં ડાકલા'ના રિલીઝની આજે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે.માનાં ડાકલામાં જોઇ શકશો શ્વેતા બારોટને અને સંગીત ફિરોઝ લાંગાએ આપ્યું છે તો ડાક વગાડવામાં પરેશ અને સંજય મહિડાએ પોતાની કુશળતા દાખવી છે. નિરવ બારોટ આ લૉન્ચ અંગે ખૂબ જ એક્સાઇટેડ છે અને નવરાત્રીની આ રજુઆત દ્વારા ચાહકો સુધી પહોંચશે.