Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિક્રાન્ત મેસીએ તેની સફળતાનું શ્રેય આપ્યું અઢી વર્ષના દીકરા વરદાનને

વિક્રાન્ત મેસીએ તેની સફળતાનું શ્રેય આપ્યું અઢી વર્ષના દીકરા વરદાનને

Published : 22 July, 2026 11:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘12th ફેલ’ની સફળતા અને નૅશનલ અવૉર્ડ બાદ વિક્રાન્ત મેસીએ પોતાની તમામ સફળતાનું શ્રેય અઢી વર્ષના દીકરા વરદાનને આપ્યું છે. અભિનેતાએ કહ્યું કે દીકરાના જન્મ પછી તેના જીવનમાં અનેક સકારાત્મક બદલાવ આવ્યા છે અને તે તેને પોતાનો સૌથી મોટો લકી ચાર્મ માને છે.

 વિક્રાંત મેસી ફેમિલી સાથે

વિક્રાંત મેસી ફેમિલી સાથે


‘12th ફેલ’ની સફળતા બાદ વિક્રાન્ત મેસીના જીવનમાં માત્ર વ્યાવસાયિક જ નહીં, અંગત સ્તરે પણ મોટા બદલાવ આવ્યા છે. તે સફળતાનો સ્વાદ માણી રહ્યો છે. તેને ૭૧મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્‍સમાં શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ પણ મળ્યો હતો. હાલમાં તેણે પોતાની આ તમામ સફળતાનું શ્રેય તેના અઢી વર્ષના દીકરા વરદાનને આપ્યું છે. 
વિક્રાન્ત મેસી અને શીતલ ઠાકુરે ૨૦૨૨માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૪માં તેઓ દીકરા વરદાનના પેરન્ટ્સ બન્યાં હતાં. દીકરાના જીવનમાં આગમન પછી આવેલા પરિવર્તન વિશે વાત કરતાં વિક્રાન્તે કહ્યું હતું કે ‘મારો દીકરો મારા માટે લકી છે અને હું આ વાત પર સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. અમારા પરિવારમાં હંમેશાં કહેવામાં આવે છે કે દરેક બાળક પોતાનું નસીબ લઈને આવે છે અને હું પણ એ જ માનું છું. મારા પુત્રના જન્મ પછી મારા જીવનમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હું આનાથી વધુ કંઈ માગી ન શક્યો હોત. આ માટે હું દિલથી ખૂબ જ આભારી છું.’


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK