સતીશ કૌશિકનું નિધન ગુરુવારે રાતે દિલ્હીમાં કાર્ડિઍક અરેસ્ટને કારણે થયું હતું
કાર્તિક આર્યન
કાર્તિક આર્યનનું કહેવું છે કે સતીશ કૌશિક તેના સ્ટ્રગલિંગના દિવસ દરમ્યાનના બેસ્ટ લૅન્ડલૉર્ડ હતા. સતીશ કૌશિકનું નિધન ગુરુવારે રાતે દિલ્હીમાં કાર્ડિઍક અરેસ્ટને કારણે થયું હતું. મુંબઈમાં તેમના અંતિમ સંસ્કારમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ હાજર હતી. કાર્તિક તેની કરીઅરના શરૂઆતના દિવસમાં સતીશ કૌશિકના ઘરે રેન્ટ પર રહેતો હતો. તેમની સાથેનો ફોટો ઇન્સ્ટા સ્ટોરીમાં શૅર કરીને કાર્તિકે લખ્યું હતું, ‘આ શહેરમાં મારા સ્ટ્રગલિંગના દિવસોમાં મારી પાસે એક સારા ઍક્ટર, સારી વ્યક્તિ અને બેસ્ટ લૅન્ડલૉર્ડ હતા. સર, હંમેશાં તમારા પ્રેરણાત્મક શબ્દ અને હાસ્યને યાદ રાખીશ. સતીશ સરના આત્માને શાંતિ મળે.’