રોહિત ફિટ છે, બૅન્ગલોરમાં રમવાની સંભાવના છે : કોહલી
ઑસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં જ્યારે ટીમ ઇન્ડિયા ફીલ્ડિંગ કરી રહી હતી ત્યારે વિરોધી ટીમે ફટકારેલી બાઉન્ડરી રોકવાના ચક્કરમાં રોહિત શર્માને ખભામાં ઈજા થઈ હતી. જોકે તે હવે સારો છે અને બૅન્ગલોરમાં રમશે. આ વિશે વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘મેં રોહિત સાથે વિસ્તારપૂર્વક વાત કરી છે. તેના ડાબા ખભામાં થોડો માર વાગ્યો હતો, પણ હવે ડરવાની જરૂર નથી, કેમ કે તે સ્વસ્થ છે અને ત્રીજી મૅચ રમી શકે એવી સંભાવના છે.’