Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઋષિ કપૂરના નિધનને થયા 3 વર્ષ, પત્ની નીતુ કપૂરે યાદમાં લખી ઈમોશનલ નોટ

ઋષિ કપૂરના નિધનને થયા 3 વર્ષ, પત્ની નીતુ કપૂરે યાદમાં લખી ઈમોશનલ નોટ

Published : 30 April, 2023 06:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ત્રણ વર્ષ પહેલા આજના દિવસે ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ દુ:ખદ સમાચારે તેમના પરિવાર, તેમના ચાહકો તેમ જ તેમને જાણતા લોકોને શોકમાં ધકેલી દીધા હતા

તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ


બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)ની આજે પુણ્યતિથિ (Death Anniversary) છે. ઋષિ કપૂરે (Rishi Kapoor) પોતાના અભિનયથી હિન્દી સિનેમામાં એક વિશેષ જગ્યા બનાવી હતી, જે તેમના મૃત્યુ પછી પણ રહી છે. તેમના પરિવારની સાથે તેમના ચાહકો તેને ક્યારેય ભૂલી શકતા નથી. આજે ઋષિ કપૂરની પુણ્યતિથિ નિમિત્તે તેમની પત્ની નીતુ કપૂરે (Neetu Kapoor) કેટલીક અનસીન તસવીરો શેર કરીને તેમને યાદ કર્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)




ત્રણ વર્ષ પહેલા આજના દિવસે ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ દુ:ખદ સમાચારે તેમના પરિવાર, તેમના ચાહકો તેમ જ તેમને જાણતા લોકોને શોકમાં ધકેલી દીધા હતા. દરેક વ્યક્તિ તેના જવાથી દુઃખી હતી. ઋષિના નિધનના સમાચાર તેમના ચાહકો માટે મોટો ઝટકો હતો. હવે આજે, 30 એપ્રિલે, ઋષિની પુણ્યતિથિ પર, નીતુ કપૂરે એક અનસીન તસવીર શેર કરી છે, જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, “તમે દરેક વખતે દરેક સારી યાદમાં આવો છો.”

પુત્રી રિદ્ધિમાએ શેર કરી તસવીર


ઋષિ અને નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂરે (Riddhima Kapoor) તેમના પિતાની પુણ્યતિથિ પર એક અદ્રશ્ય તસવીર શેર કરી છે. જેને નીતુ કપૂરે તેમની સ્ટોરીમાં પણ મૂકી છે. ઋષિ કપૂર અને નીતુ કપૂર સાથે રણબીર કપૂર, રિદ્ધિમા કપૂર અને તેમની પુત્રી સમારા સાહની પણ આ પરિવારની તસવીરમાં જોવા મળી છે.

આ પણ વાંચો: ‘ધૂમ’ની ફ્રૅન્ચાઇઝીમાં ફરીથી દેખાશે જૉન?

ઋષિ કપૂર કેન્સર સામે લડી રહ્યા હતા

બૉલીવૂડના રોમાન્સ કિંગ તરીકે જાણીતા ઋષિ કપૂરે 50 વર્ષના ફિલ્મી કરિયરમાં લગભગ 121 ફિલ્મો કરી હતી. જોકે, તેઓ સ્વભાવે ખુશ મિજાજના હતા, પરંતુ તે લાંબા સમયથી કેન્સરની લડાઈ લડી રહ્યા હતા. દરમિયાન 30 એપ્રિલે તેમના નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. લોકડાઉનને કારણે તેમના અંતિમ સંસ્કારમાં માત્ર 20-25 લોકો જ હાજર રહી શક્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન હતી, જે તેમના મૃત્યુ પછી રિલીઝ થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2023 06:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK