તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, પરંતુ તેમની વચ્ચે કોઈ સમાનતા નથી.
પીયૂષ મિશ્રા
પીયૂષ મિશ્રાનું કહેવું છે કે તે અનુરાગ કશ્યપ સાથે વધુમાં વધુ ફક્ત પંદર મિનિટ વાત કરી શકે છે. તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, પરંતુ તેમની વચ્ચે કોઈ સમાનતા નથી. તેમના વિચારો પણ અલગ છે. આ વિશે વાત કરતાં પીયૂષ મિશ્રાએ કહ્યું કે ‘અનુરાગ કશ્યપના શૂટિંગ પર પંદર દિવસની અંદર જો કોઈની અરેસ્ટ ન થાય તો મને ટેન્શન આવી જાય છે. તેને પરવાનગી વગર શૂટ કરવાની આદત છે. દર વખતે પોલીસ આવે છે અને કેટલાકને અરેસ્ટ કરીને જતી રહે છે. અમારી વચ્ચેના સંબંધ એવા છે કે અમુક વર્ષ બાદ પણ અમે મળીએ તો પંદર મિનિટની અંદર અમારી પાસે વાત પૂરી થઈ જાય છે. અમે કૉફી અને સિગારેટ સ્મોક કરીએ અને અમારી રિલેશનશિપ ત્યાં પૂરી થાય છે. મારી પાસે પણ તેને કહેવા કોઈ વાત નથી હોતી અને તેની પાસે પણ મને કહેવા વાત નથી હોતી. અમારા વિચારો સરખા નથી. અમારા પૉલિટિકલ વ્યુ એકસમાન નથી. અમારા એથિકલ વ્યુઝ પણ એકસમાન નથી. જોકે અમે બન્ને ઇમોશનલ છીએ. તે મારા ગળામાં ફસાઈ ગયેલા હાડકા જેવો છે. હું તેને ગળી પણ નથી શકતો અને તેને બહાર કાઢી પણ નથી શકતો.’