Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કયા કારણસર ‘તેરે નામ’માંથી કાઢી નાખવામાં આવેલો અનુરાગ કશ્યપને?

કયા કારણસર ‘તેરે નામ’માંથી કાઢી નાખવામાં આવેલો અનુરાગ કશ્યપને?

07 February, 2023 04:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુરાગનું કહેવું છે કે આ વાત ૨૦૦૨ની છે જ્યારે આ ફિલ્મને ડિરેક્ટ કરવા તેની એન્ટ્રી થઈ હતી

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ


અનુરાગ કશ્યપને ‘તેરે નામ’માંથી કાઢી નાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ફિલ્મને સતીશ કૌશિકે ડિરેક્ટ કરી હતી. એનું કારણ તેણે હવે જણાવ્યું છે. અનુરાગનું કહેવું છે કે આ વાત ૨૦૦૨ની છે જ્યારે આ ફિલ્મને ડિરેક્ટ કરવા તેની એન્ટ્રી થઈ હતી. તેણે સલમાન ખાનને સલાહ આપી હતી કે ફિલ્મનું તેનું કૅરૅક્ટર રાધે ઉત્તર પ્રદેશનું છે અને એથી તેણે છાતીને શેવ નથી કરવાની અને હેર ગ્રો કરવાના છે. જોકે સલમાન સુપરસ્ટાર હોવાથી તેને અનુરાગની આ વાત પસંદ ન પડી. બાદમાં જ્યારે ફિલ્મના પ્રોડ્યુસરને જાણ થઈ કે અનુરાગે સલમાનને છાતી પર શેવ ન કરવાની સલાહ આપી છે તો અનુરાગને આ ફિલ્મમાં કાઢી નાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સુધીર મિશ્રા ક્યારેક ચાર માસ્ક પહેરીને બેસે છે : અનુરાગ કશ્યપ



જોકે આ વાતનો અનુરાગને જરા પણ પસ્તાવો નથી. તેને તો સલમાનની ‘સુલતાન’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘દબંગ’ ખૂબ ગમી હતી. અનુરાગના ભાઈ અભિનવ કશ્યપે ‘દબંગ’ ડિરેક્ટ કરી હતી. આ સિવાય શાહરુખ ખાન પ્રત્યે જે માન છે એ વિશે પણ જણાવતાં અનુરાગે કહ્યું કે ‘તે જ્યારે પણ કૉલ કરે છે તો હું ઊભો થઈને જ વાત કરું છું. મારા માટે તે મોટા ભાઈ સમાન છે. તેઓ મને સતત સલાહ આપે છે કે શું ન કરવું જોઈએ. તેઓ સતત મને પૂછે છે કે હું ટ્વિટર પર કેમ નથી. જે લોકો મારી કાળજી લે છે તેઓ ચાહે છે કે તેમની જેમ હું પણ લાઇફ પસાર કરું. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે ૫૭ની ઉંમરે પણ તે આટલો ફિટ કેમ રહી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2023 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK