અનુરાગનું કહેવું છે કે આ વાત ૨૦૦૨ની છે જ્યારે આ ફિલ્મને ડિરેક્ટ કરવા તેની એન્ટ્રી થઈ હતી
અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપને ‘તેરે નામ’માંથી કાઢી નાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ફિલ્મને સતીશ કૌશિકે ડિરેક્ટ કરી હતી. એનું કારણ તેણે હવે જણાવ્યું છે. અનુરાગનું કહેવું છે કે આ વાત ૨૦૦૨ની છે જ્યારે આ ફિલ્મને ડિરેક્ટ કરવા તેની એન્ટ્રી થઈ હતી. તેણે સલમાન ખાનને સલાહ આપી હતી કે ફિલ્મનું તેનું કૅરૅક્ટર રાધે ઉત્તર પ્રદેશનું છે અને એથી તેણે છાતીને શેવ નથી કરવાની અને હેર ગ્રો કરવાના છે. જોકે સલમાન સુપરસ્ટાર હોવાથી તેને અનુરાગની આ વાત પસંદ ન પડી. બાદમાં જ્યારે ફિલ્મના પ્રોડ્યુસરને જાણ થઈ કે અનુરાગે સલમાનને છાતી પર શેવ ન કરવાની સલાહ આપી છે તો અનુરાગને આ ફિલ્મમાં કાઢી નાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સુધીર મિશ્રા ક્યારેક ચાર માસ્ક પહેરીને બેસે છે : અનુરાગ કશ્યપ
ADVERTISEMENT
જોકે આ વાતનો અનુરાગને જરા પણ પસ્તાવો નથી. તેને તો સલમાનની ‘સુલતાન’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘દબંગ’ ખૂબ ગમી હતી. અનુરાગના ભાઈ અભિનવ કશ્યપે ‘દબંગ’ ડિરેક્ટ કરી હતી. આ સિવાય શાહરુખ ખાન પ્રત્યે જે માન છે એ વિશે પણ જણાવતાં અનુરાગે કહ્યું કે ‘તે જ્યારે પણ કૉલ કરે છે તો હું ઊભો થઈને જ વાત કરું છું. મારા માટે તે મોટા ભાઈ સમાન છે. તેઓ મને સતત સલાહ આપે છે કે શું ન કરવું જોઈએ. તેઓ સતત મને પૂછે છે કે હું ટ્વિટર પર કેમ નથી. જે લોકો મારી કાળજી લે છે તેઓ ચાહે છે કે તેમની જેમ હું પણ લાઇફ પસાર કરું. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે ૫૭ની ઉંમરે પણ તે આટલો ફિટ કેમ રહી શકે છે.’