Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૂલ આન્ટી બનવાના ચક્કરમાં કોઈ સલાહ ન આપવી જોઈએ, કારણ કે તેનું પોતાનું જ લગ્નજીવન નર્ક હતું

કૂલ આન્ટી બનવાના ચક્કરમાં કોઈ સલાહ ન આપવી જોઈએ, કારણ કે તેનું પોતાનું જ લગ્નજીવન નર્ક હતું

16 April, 2024 06:11 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝીનત અમાનની લિવ-ઇન રિલેશનશિપની ઍડ્વાઇઝ વિશે મુમતાઝે કહ્યું...

મુમતાઝ ,ઝીનત અમાન

મુમતાઝ ,ઝીનત અમાન


મુમતાઝનું કહેવું છે કે ઝીનત અમાને લગ્ન વિશે સલાહ ન આપવી જોઈએ, કારણ કે તેનું પોતાનું લગ્નજીવન નર્ક હતું. ઝીનત અમાને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે યુવાનોએ લગ્ન પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું જોઈએ જેથી એકમેકને સારી રીતે ઓળખી શકે. આ વિશે વાત કરતાં મુમતાઝ કહે છે, ‘ઝીનતે ખૂબ જ સમજી-વિચારીને સલાહ આપવી જોઈએ. જો છોકરીઓ લિવ-ઇન કલ્ચરનો સ્વીકાર કરી લે તો લગ્નમાં કોઈ માનશે નહીં. મને એ કહો કે લિવ-ઇનમાં રહેનાર છોકરી સાથે પોતાના છોકરાનાં લગ્ન કરાવશો? ઝીનતને જ ઉદાહરણ તરીકે લઈ લો. લગ્ન પહેલાં તે મઝહર ખાનને વર્ષોથી ઓળખતી હતી. તેનું લગ્નજીવન નર્ક હતું. રિલેશનશિપ વિશે સલાહ તેણે આપવી જ ન જોઈએ. ઝીનત અચાનક સોશ્યલ મીડિયા પર પૉપ્યુલર થઈ ગઈ છે. એક કૂલ આન્ટી બનવાના તેના ઉત્સાહને હું સમજી શકું છું. જોકે પોતાના ફૉલોઅર્સ વધારવા માટે આપણી મૉરલ વૅલ્યુને નુકસાન પહોંચાડી શકે એવી સલાહ ન આપવી જોઈએ. લિવ-ઇન ગમે એટલું કરો, પરંતુ કોઈ ગૅરન્ટી નથી. હું તો કહું છું લગ્ન કરવાં જ ન જોઈએ. જમાનો ખૂબ જ આગળ નીકળી ગયો છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2024 06:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK