જાણો Me Too અને આલોક નાથ વિશે શું બોલી માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત હાલમાં પોતાની આગામી ફિલ્મ ટોટલ ધમાલના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે ઘણી ઉત્સાહિત છે કે ફરી તે આ ફિલ્મનો હિસ્સો બનવા જઈ રહી છે, જેમાં અનિલ કપૂર પણ એની સાથે છે. આ ફિલ્મ દરમિયાન મીડિયા ઇન્ટરેક્શનમાં માધુરીએ MeToo ને લઈને બે વાત કહીં છે.
માધુરીએ જ્યારે પણ MeToo વિશે મીડિયા વાત કરવા ગઈ, ત્યારે માધુરીને આલોક નાથને લઈને કહ્યું કે આલોક નાથ વિશે આવુ સાંભળીને હું આશ્ચર્યમાં હતી. કારણકે એમની સાથે કામ કર્યું છે. સૌમિક સેન જે એમની ફિલ્મ ગુલાબ ગેન્ગના દિગ્દર્શક રહી ચૂક્યા હતા, માધુરીએ તેમના વિશે પણ કહ્યું કે હવે તે અનુભવે છે કે તે બે લોકો સાથે કામ કરતી હતી. કારણ કે તે નસીબદાર છે કે તેની પાસે આવી કોઈ સમસ્યા નથી અને ક્યારે પણ MeTooનો સામનો નથી કર્યો. પરંતુ માધુરીએ કહ્યું કે હવે તે મહિલાઓને લઈને ખુશ છે જે મન ખોલીને પોતાની વાત રાખી રહી છે અને MeToo ઈવેન્ટનો પૂરી રીતે સપોર્ટ પણ કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સોંદર્યાના લગ્નમાં મન મૂકીને નાચ્યા રજનીકાંત, જુઓ વીડિયો
માધુરીએ વધુમાં કહ્યું કે તેણે ફિલ્મોથી લાંબા અંતર લીધો હતો. કારણકે તે ફિલ્મો ઉપરાંત ઘણી બધી વસ્તુઓ કરી રહી છે, તે પોતાની ડાન્સિંગ સ્કિલ્સ પર વધારે ધ્યાન આપી રહી છે. સાથે જ માધુરીને એના બાળકોનું પણ ધ્યાન રાખવુ છે. એટલે તે ફિલ્મોમાં હંમેશાં સમય વિતાવી શકતી નથી. માધુરીએ કહ્યું કે અનિલ કપૂર સાથે એની આ ફિલ્માં જોડી બની છે, અનિલ કપૂર તેમના ફેવરિટ કૉ-સ્ટાર છે એટલે માઘુરીએ ફિલ્મ કરવાની હા પાડી છે.