આદિત્ય ચોપડાએ કઈ સલાહ આપી હતી આયુષ્માન ખુરાનાને?
આયુષ્માન ખુરાના (ફાઇલ ફોટો)
મુંબઈ (આઇ.એ.એન.એસ.) : આયુષ્માન ખુરાનાની ફિલ્મોની પસંદગી ખૂબ જ અલગ-અલગ રહે છે. જોકે તે દરેક ફિલ્મની પસંદગી કરવા પહેલાં આદિત્ય ચોપડાએ આપેલી સલાહને હંમેશાં યાદ કરે છે. આયુષ્માને ૨૦૧૨માં આવેલી ‘વિકી ડોનર’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. યશરાજ ફિલ્મ્સની ‘દમ લગા કે હઈશા’માં તેના કામના ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં હતાં. તેની દરેક ફિલ્મને લઈને તેના પર પ્રેશર હોય છે? આ સવાલનો જવાબ આપતાં આયુષ્માને કહ્યું હતું કે ‘આ એક ખૂબ જ સારી વાત છે. ચાર વર્ષ પહેલાં આદિત્ય ચોપડાએ મને કહ્યું હતું કે મારે એવી ફિલ્મો જ કરવી જોઈએ જેમાં દર્શકો મારી પાસેથી કોઈ આશા રાખી શકે. તેઓ જ્યારે મને જુએ ત્યારે તેમને સારું કન્ટેન્ટ મળવું જોઈએ એવી તેમણે સલાહ આપી હતી. મને ખુશી છે કે હું એ સિદ્ધિ મેળવી શક્યો છું. એનાથી મને મારી પસંદગીના વિષયો પસંદ કરવાની હિમ્મત મળે છે. ‘આર્ટિકલ 15’ એવી જ એક ફિલ્મ છે. એક પછી એક ચાર હિટ ફિલ્મો આપ્યા બાદ ‘આર્ટિકલ 15’ કરવાની મારામાં હિમ્મત આવી હતી, જે કર્મશિર્યલથી હટકે છે.’
આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો