Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રભાસે અયોધ્યાના રામમંદિરમાં ૫૦ કરોડ ડોનેટ કર્યા હોવાની અફવા

પ્રભાસે અયોધ્યાના રામમંદિરમાં ૫૦ કરોડ ડોનેટ કર્યા હોવાની અફવા

Published : 21 January, 2024 07:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ દરમ્યાન બૉ​લીવુડની અને સ્પોર્ટ્સ જગતની અનેક સેલિબ્રિટીઝ હાજર રહેશે.

પ્રભાસ

પ્રભાસ


પ્રભાસે અયોધ્યાના રામમંદિર માટે ૫૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાની અફવા છે. આ સમાચાર સાથે જ સોમવારે આયોજિત થનાર એ ભવ્ય ઉત્સવ દરમ્યાન તેણે લોકોને ભોજન 
પૂરું પાડવાની જવાબદારી પણ લીધી હોવાની અફવા છે. પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ દરમ્યાન બૉ​લીવુડની અને સ્પોર્ટ્સ જગતની અનેક સેલિબ્રિટીઝ હાજર રહેશે. પ્રભાસે ૫૦ કરોડનું દાન આપ્યું છે એ અફવામાં વધુ ઉમેરો કરતાં આંધ્ર પ્રદેશના એમએલએ ચિરલા જગ્ગીરેડ્ડીએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટનના દિવસે લોકોનો જમવાનો જે ખર્ચ થશે એ પ્રભાસ ઉઠાવશે. આવી ફેલાતી અફવાને જોતાં પ્રભાસની ટીમે ચોખવટ કરી છે કે પ્રભાસે આટલી મોટી રકમનું દાન નથી આપ્યું કે ન તો ઉત્સવ દરમ્યાન તેણે લોકોના ભોજનનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2024 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK