દ્રૌપદીમાં ભગવાન કૃષ્ણના પાત્રમાં હૃતિક રોશન હશે એ અફવા છે : દીપિકા
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણની ‘દ્રૌપદી’માં હૃતિક રોશન ભગવાન કૃષ્ણની ભૂમિકામાં જોવા મળશે એ અફવા છે. દીપિકા હાલમાં ‘છપાક’નું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન ‘દ્રૌપદી’ વિશે પૂછવામાં આવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘આ બધી એક માત્ર નરી અફવા છે. આ અફવા કોણ ફેલાવે છે ખબર નહીં. હું માત્ર એટલુ જાણું છું કે ‘દ્રૌપદી’ પર હજી સુધી કામ ચાલી રહ્યું છે. ખરુ કહું તો અમે હજી સુધી ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ફાઇનલ નથી કરી. હાલમાં તો અમે ટૅલન્ટેડ ડિરેક્ટરની શોધમાં છીએ. એક વાર જો ડિરેક્ટર નક્કી થઈ જશે તો અમે બીજુ સ્ટેપ લઈશું.’