Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફ્લૅટની કિંમત ઓછી આંકતા મીડિયા પર કટાક્ષ કર્યો આદિત્ય નારાયણે

ફ્લૅટની કિંમત ઓછી આંકતા મીડિયા પર કટાક્ષ કર્યો આદિત્ય નારાયણે

10 December, 2020 06:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્લૅટની કિંમત ઓછી આંકતા મીડિયા પર કટાક્ષ કર્યો આદિત્ય નારાયણે

આદિત્ય નારાયણ

આદિત્ય નારાયણ


આદિત્ય નારાયણે તાજેતરમાં જ એક ફ્લૅટ ખરીદ્યો છે, જેની કિંમત મીડિયાએ ઓછી આંકતાં જણાવ્યું કે તેમણે માર્કેટ પ્રાઇસ ઓછી લખી છે. તેણે અંધેરીમાં 5 બીએચકે આલિશાન ફ્લૅટ 10.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેના પેરન્ટ્સથી 3 બિલ્ડિંગ દૂર તેનું આ નવું ઘર છે. આદિત્યએ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે 1 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં અને તેઓ હવે નવા ઘરમાં રહેવા જશે. ફ્લૅટની કિંમતને લઈને આદિત્યએ કહ્યું હતું કે ‘હા, હા ખૂબ જ ઓછી કિંમત ગણી છે. માર્કેટ પ્રાઇસ ઓછી લખી છે. એની ખરી કિંમત તો 10.5 કરોડ રૂપિયા છે. હું બાળપણથી જ કામ કરી રહ્યો છું. ટેલિવિઝનને કારણે મને ઘણુંબધું મળ્યું છે. મેં અંધેરીમાં જ 5 બીએચકે ફ્લૅટ મારી ફૅમિલીથી માત્ર 3 બિલ્ડિંગના અંતરે ખરીદ્યો છે. અમે 3-4 મહિનામાં ત્યાં શિફ્ટ થઈશું. મારા પેરન્ટ્સ તો ખૂબ જ નજીક છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2020 06:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK