પ્રાણની બર્થ-ઍનિવર્સરી નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પિત કર્યાં અમિતાભે
પ્રાણની ગઈ કાલે ૧૦૦મી બર્થ-ઍનિવર્સરી નિમિત્તે તેમને અમિતાભ બચ્ચને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ બન્નેએ અનેક ફિલ્મો જેમ કે ‘મજબૂર’, ‘ડૉન’, ‘ઝંજીર’, ‘અમર અકબર ઍન્થની’ અને ‘નાસ્તિક’માં સાથે કામ કર્યું હતું. પ્રાણને ૨૦૦૧માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૧૩ની ૧૨ જુલાઈએ તેમણે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાણને યાદ કરતાં ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘પ્રાણસાહેબની ૧૦૦મી બર્થ-ઍનિવર્સરી નિમિત્તે યાદ કરું છું. તેમની વ્યવહારદક્ષ છબિ, ગરિમાપૂર્ણ હાજરી. તેમનું આચરણ ખૂબ શાંત, અનુશાસિત હતું. તેઓ નરમ દીલના કલીગ હતા. નરમાશથી બોલનારા, રિઝર્વ્ડ, ઉર્દૂનું જ્ઞાન ધરાવનારા અને સાથે જ પ્રાણ જેવી નમ્ર વ્યક્તિ માટે સૌકોઈ સમાન લાગણી ધરાવતા હતા. આ બધી વિશેષતાઓ તેમનામાં હોવા છતાં પણ તેમણે એમાંના કોઈ રોલ સ્ક્રીન પર કદી ભજવ્યા નહોતા. નેગેટિવ વિલન. આવી હતી તેમની અભિનયક્ષમતા. ઍક્ટિંગમાં તેઓ અદ્ભુત હતા.’