Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવાઈની વાત! યે જવાની હૈ દીવાનીના ડિરેક્ટર અયાન મુખર્જીએ હજી સુધી નથી જોઈ આ ફિલ્મ

નવાઈની વાત! યે જવાની હૈ દીવાનીના ડિરેક્ટર અયાન મુખર્જીએ હજી સુધી નથી જોઈ આ ફિલ્મ

31 May, 2023 02:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અયાન મુખર્જી( Director Ayan Mukerji) દ્વારા નિર્દેશિત રણબીર કપૂર(Ranbir Kapoor), દીપિકા પાદુકોણ (Deepika Padukone)અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor)સ્ટારર ફિલ્મ `યે જવાની હૈ દીવાની` (yeh jawaani hai deewani)એ તેની રિલીઝના 10 વર્ષ પૂર્ણ કર્યા છે.

યે જવાની હૈ દીવાની ફિલ્મને 10 વર્ષ પૂર્ણ

યે જવાની હૈ દીવાની ફિલ્મને 10 વર્ષ પૂર્ણ


અયાન મુખર્જી( Director Ayan Mukerji) દ્વારા નિર્દેશિત રણબીર કપૂર(Ranbir Kapoor), દીપિકા પાદુકોણ (Deepika Padukone)અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor)સ્ટારર ફિલ્મ `યે જવાની હૈ દીવાની` (yeh jawaani hai deewani)એ તેની રિલીઝના 10 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. તે જ સમયે, તેની રિલીઝના 10 વર્ષ પૂર્ણ થવા પર અયાન મુખર્જીએ એક ભાવનાત્મક નોંધ લખી છે. ઉપરાંત, તે તેની અત્યાર સુધીની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક તરીકે જોવામાં આવી છે.

યે જવાની હૈ દીવાનીએ 10 વર્ષ પૂરા કર્યા



ફિલ્મ `યે જવાની હૈ દીવાની`ની રિલીઝના 10 વર્ષ પૂર્ણ થવા પર અયાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આને લગતો એક વીડિયો શેર કર્યો છે. અયાને તેને પોતાનું બીજું બાળક ગણાવ્યું છે, સાથે જ તે કહેતો જોવા મળ્યો છે કે લોકો આજે પણ તેની ફિલ્મના ખૂબ વખાણ કરે છે. આ ફિલ્મ વર્ષ 2013માં આ દિવસે રિલીઝ થઈ હતી.


ફિલ્મ માય સેકન્ડ ચાઈલ્ડ - અયાન

વીડિયો શેર કરતાં અયાન મુખર્જીએ કેપ્શનમાં લખ્યું, `યે જવાની હૈ દીવાની - મારું બીજું બાળક, મારા હૃદય અને આત્માનો ટુકડો આજે 10 વર્ષનો થઈ ગયો છે. મને લાગે છે કે આટલા વર્ષો પછી હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે આ ફિલ્મ બનાવવી એ મારા જીવનનો સૌથી મોટો આનંદ હતો. તેના ફાયદા અને ગેરફાયદા સાથે અમે તેની સાથે જે હાંસલ કર્યું તે મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.`


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

આ પણ વાંચો: #NOSTALGIA : ૧૪ વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર આ અભિનેત્રીને ઓળખ્યા તમે?

બ્રહ્માસ્ત્ર સાથે સરખામણી કરીને આ કહ્યું

અયાન મુખર્જીએ આગળ લખ્યું, `આશ્ચર્યની વાત એ છે કે જે દિવસથી તે રિલીઝ થઈ, મને નથી લાગતું કે મેં ક્યારેય યે જવાની હૈ દીવાની શરૂઆતથી અંત સુધી જોઈ હોય, પરંતુ હવે જ્યારે હું મોટો અને સમજદાર થઈ ગયો છું` તો મને લાગે છે કે હવે હું વર્ષમાં ઓછામાં ઓછું એક વાર હું જોઈશ,હું કોણ હતો અને હું જીવનને કેવી રીતે જોતો તેનો મોટો ભાગ આ મૂવીમાં કાયમ માટે કેપ્ચર કરવામાં આવ્યો છે. તાજેતરના મહિનાઓમાં, મેં ઘણીવાર જોયું છે કે લોકો મને ઓળખે છે અને મારી પાસે આવે છે… અને મને લાગે છે કે તેઓ બ્રહ્માસ્ત્ર વિશે કંઈક કહેશે, પરંતુ તેઓ યે જવાની હૈ દીવાની વિશે વાત કરવાનું શરૂ કરે છે. હું એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું જેઓ વર્ષોથી ફિલ્મ સાથે સંકળાયેલા છે.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2023 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK