ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને ફાસ્ટ બોલર ઇશાન્ત શર્માએ ગઈ કાલે કોરોનાની વૅક્સિન મુકાવી હતી.
કોહલી, પૂજારા અને ઇશાન્ત
ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને ફાસ્ટ બોલર ઇશાન્ત શર્માએ ગઈ કાલે કોરોનાની વૅક્સિન મુકાવી હતી. હાલ મુંબઈમાં રહેતા વિરાટે ઇન્સ્ટાગ્રામ પર તો ઇશાન્ત અને તેની પત્ની પ્રતિભાએ રસીકરણ કેન્દ્રની બહારનો ફોટો શૅર કર્યો હતો. ઇશાન્તે ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘તમામ આવશ્યક સેવાના કર્મચારીઓનો આભાર. સેન્ટર પર સારી વ્યવસ્થા હતી.’ ભારતીય બૅટ્સમૅન ચેતેશ્વર પુજારાએ પત્ની પૂજા સાથે ગઈ કાલે વૅક્સિન લીધી હતી.
વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણે, ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને ઓપનર શિખર ધવને પણ રસીનો પહેલો ડોઝ લીધો છે. બીજી જૂને ભારતીય ટીમ સાડાત્રણ મહિનાના ઇંગ્લૅન્ડના પ્રવાસે જશે. એમાં ન્યુ ઝીલૅન્ડ સામેની વર્લ્ડ ચૅમ્પિયનશિપ ટેસ્ટ સહિત કુલ છ ટેસ્ટ રમશે.