Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની ચૅમ્પિયન્સ ટ્રોફી ટીમમાં વરુણ ચક્રવર્તીનો સમાવેશ એ માસ્ટરસ્ટ્રોક હતો : શિખર ધવન

ભારતની ચૅમ્પિયન્સ ટ્રોફી ટીમમાં વરુણ ચક્રવર્તીનો સમાવેશ એ માસ્ટરસ્ટ્રોક હતો : શિખર ધવન

Published : 10 March, 2025 08:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરુણ ચક્રવર્તીએ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ મૅચમાં નવ વિકેટ ઝડપી હતી. ત્રણેય મૅચમાં તેણે ભારતને શરૂઆતની વિકેટ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

શિખર ધવન, વરુણ ચક્રવર્તી

શિખર ધવન, વરુણ ચક્રવર્તી


ચૅમ્પિયન્સ ટ્રોફીના ઍમ્બૅસેડર શિખર ધવને ભારતના મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીની પ્રશંસા કરી છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન કહે છે કે ‘મને ખરેખર એક વધારાનો સ્પિનર વરુણ ચક્રવર્તીને લાવવા માટે કરવામાં આવેલું પરિવર્તન ગમ્યું. તે ગેમ-ચૅન્જર રહ્યું છે, તે કૅપ્ટન અને કોચ દ્વારા એક માસ્ટરસ્ટ્રોક નિર્ણય હતો. તેણે ભારતને વધુ સંતુલિત ટીમ બનાવી છે, ખાસ કરીને ધીમી અને ટર્નિંગ પિચો પર. ભારતને ખરેખર ફાયદો થયો છે એટલે જ તેઓ વધુ પ્રભુત્વ મેળવવા લાગ્યા.’


વરુણ ચક્રવર્તીએ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ મૅચમાં નવ વિકેટ ઝડપી હતી. ત્રણેય મૅચમાં તેણે ભારતને શરૂઆતની વિકેટ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારત માટે મોહમ્મદ શમીએ પણ પાંચ મૅચમાં સૌથી વધુ નવ વિકેટ ઝડપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2025 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK