Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ-અર્શદીપની મજેદાર વાતચીતને ઑલમોસ્ટ ૧૦૦ મિલ્યન વ્યુઝ મળ્યા

વિરાટ-અર્શદીપની મજેદાર વાતચીતને ઑલમોસ્ટ ૧૦૦ મિલ્યન વ્યુઝ મળ્યા

Published : 08 December, 2025 12:59 PM | IST | Visakhapatnam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિડિયોમાં અર્શદીપ સિંહે કહ્યું હતું કે ‘પાજી, રન કમ રહ ગએ, સેન્ચુરી તો પક્કીથી વૈસે’

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ભારતના યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સોશ્યલ મીડિયા પર પોતાના રમૂજી વિડિયોને કારણે ચર્ચામાં રહે છે. તેણે વિશાખાપટનમ વન-ડે બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે વિડિયો બનાવવાની તક ઝડપી લીધી હતી. ટ્રોફી સાથે ગ્રુપ-ફોટો પડાવતા સમયે અર્શદીપ સિંહ અને વિરાટ કોહલી વચ્ચે કૅમેરા સામે થયેલી મજેદાર વાતચીતને ઇન્સ્ટાગ્રામ પર ઑલમોસ્ટ ૧૦૦ મિલ્યન લોકોએ નિહાળી છે.

આ વિડિયોમાં અર્શદીપ સિંહે કહ્યું હતું કે ‘પાજી, રન કમ રહ ગએ, સેન્ચુરી તો પક્કીથી વૈસે.’ જવાબમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘ટૉસ જીત ગએ, નહીં તો તેરી ભી પક્કીથી ડ્યુ (ઝાકળ) મેં.’
૨૭૧ રનનો ટાર્ગેટ મળ્યો હોવાથી વિરાટ કોહલીની ત્રીજી વન-ડેની ઇનિંગ્સ ૬૫ રન સુધી જ સીમિત રહી હતી. ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેતાં સિરીઝની નિર્ણાયક મૅચમાં ઝાકળે મુખ્ય ભૂમિકા ભજવી. જેમ-જેમ સાંજ પડતી ગઈ તેમ-તેમ જમીન પર ભેજને કારણે સાઉથ આફ્રિકાના બોલરો માટે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ. કોહલીએ ટૂંકમાં અર્શદીપને ટૉન્ટ માર્યો કે જો પહેલી બોલિંગ ન કરી હોત તો તારી ઓવરમાં પણ ઝાકળને કારણે ૧૦૦ રન પડ્યા હોત. 


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2025 12:59 PM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK