વર્લ્ડ કપ જોવા માટે અંબાતી રાયડુએ 3D ગ્લાસના ઓર્ડર કર્યા
અંબાતી રાયડુ
ક્રિકેટ વર્લ્ડ કપને ધ્યાને લઇને ભારતીય ક્રિકેટ બોર્ડે સોમવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી હતી. જેમાં સૌવ કોઇને આશા હતી કે અંબાતી રાયડુને તક મળે. પરંતુ તેમ ન થયું. અંબાતી રાયડુ સિલેક્ટરોને વિશ્વાસ જીતી ન શક્યો. જેને પગલે ટીમમાં સ્થાન ન મળતા ગુસ્સે ભરાયેલા રાયુડુએ ટ્વીટમાં કહ્યું કે વર્લ્ડકપ જોવા માટે 3D ગ્લાસ ઓર્ડર કર્યા છે.
આ પણ વાંચો : World cup 2019: વિરાટની સેના જાહેર, વિજય-કાર્તિકની એન્ટ્રી
અંબાતી રાયુડુની વાત કરીએ તો ભારતે રમેલી છેલ્લી 24 વનડેમાંથી 21માં ટીમનો ભાગ હતો. જેમાં તેણે 1 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. જોકે આશ્ચર્યજનક રીતે તેને ટીમમાં સ્થાન મળ્યું ન હતુ. 6 મહિના પહેલા કોહલીએ પણ રાયુડુની તરફેણમાં કહ્યું હતું કે હવે ચોથા નંબરની શોધ પૂરી થઇ ગઈ છે. તેવામાં રાયુડુની બાદબાકી અંગે મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે, અમે રાયુડુને ઘણા ચાન્સ આપ્યા હતા પરંતુ વિજય ટીમમાં બેલેન્સ લાવે છે. વિજય 3 ડાયમેન્શનલ ખેલાડી છે. તે બેટિંગ સાથે બોલિંગ અને ફિલ્ડિંગ વડે પણ યોગદાન આપે છે. તેથી અમે તેના ઉપર પસંદગી ઉતારી છે.