Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મલ્ટિવિટામિનના ખોટા પ્રચાર સામે લાલ બત્તી ધરે છે આ પદ‍્મશ્રી ડૉક્ટર

મલ્ટિવિટામિનના ખોટા પ્રચાર સામે લાલ બત્તી ધરે છે આ પદ‍્મશ્રી ડૉક્ટર

25 April, 2024 10:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહેવામાં આવ્યું છે કે ભારતમાં દસમાંથી ૮ લોકોમાં મલ્ટિવિટામિનની ઊણપ હોય છે.

ડૉ. મોહન

લાઇફ મસાલા

ડૉ. મોહન


મલ્ટિવિટામિન બ્રૅન્ડ સેન્ટ્રમની જાહેરખબરમાં અનુષ્કા શર્માને તમે જોઈ હશે. મલ્ટિવિટામિન ટૅબ્લેટ લેવાની ભણામણ કરતી આ બ્રૅન્ડની એક જાહેરખબર સામે ડાયાબિટીઝ સ્પેશ્યલિસ્ટ અને પદ‍્મશ્રી ખિતાબથી સન્માનિત ડૉ. વી. મોહને વાંધો ઉઠાવ્યો છે. ચેન્નઈસ્થિત આ ડૉક્ટરે જે ઍડ સામે લાલ બત્તી ધરી છે એમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દસમાંથી ૮ લોકોમાં મલ્ટિવિટામિનની ઊણપ હોય છે. ડૉ. મોહનને આ જ વાત સામે વાંધો છે. તેઓ કહે છે, ‘મલ્ટિવિટામિન ડેફિશ્યન્સી જેવું કંઈ હોતું જ નથી; તમારામાં D, B12 જેવા ચોક્કસ વિટામિનની ઊણપ હોઈ શકે છે. મલ્ટિવિટામિનની ટૅબ્લેટ કદાચ ફાયદાકારક સાબિત ન થાય એટલું જ નહીં, એ નુકસાન પણ કરી શકે. જો તમારામાં કોઈ  ચોક્કસ વિટામિનની ઊણપ હોય અને તમે મલ્ટિવિટામિનની ટૅબ્લેટ લો તો તમારામાં જેની ડેફિશ્યન્સી છે એ વિટામિન પૂરતી માત્રામાં ન મળે, કારણ કે આ ટૅબ્લેટમાં તો વિવિધ વિટામિન છે. આ ઉપરાંત ઊણપ સિવાયનાં વિટામિન તમે જરૂર વગર નિયમિત લો તો એ નુકસાનકારક પણ સાબિત થઈ શકે.’


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2024 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK