મંદિરમાં બટાટાની પૂજા કરવા લોકો પહોંચી રહ્યા છે. મંદિરમાં ભગવાન શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની પ્રતિમા પાસે બટાટાને રાખવામાં આવ્યો છે.
મંદિરના પૂજારીએ દાવો કર્યો છે કે આ બટાટો નથી પણ ભગવાનનો અવતાર છે
ઉત્તર પ્રદેશના સંભલમાં પ્રાચીન શ્રીવંશ ગોપાલ તીર્થ મંદિર પાસેના એક ગામમાં એક ખેડૂતને ખોદકામ વખતે વિચિત્ર આકારનો બટાટો મળ્યો હતો અને એ બટાટાને સ્થાનિક રામમંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. મંદિરના પૂજારીએ દાવો કર્યો છે કે આ બટાટો નથી પણ ભગવાનનો અવતાર છે; એમાં શેષનાગ, મસ્ત્ય અને મગર જેવી આકૃતિ છે; આ ભગવાન કલ્કિનું સ્વરૂપ હોઈ શકે છે; હોળીના પાવન પર્વે ભગવાને સ્વયં દર્શન આપવા માટે આ સંકેત આપ્યો છે. આ મંદિરમાં બટાટાની પૂજા કરવા લોકો પહોંચી રહ્યા છે. મંદિરમાં ભગવાન શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની પ્રતિમા પાસે બટાટાને રાખવામાં આવ્યો છે.

