Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અનંત અંબાણીએ ઓડિશાના જગન્નાથ મંદિર અને ગુવાહાટીના મા કામાખ્યા મંદિરને આપ્યું પાંચ કરોડ રૂપિયાનું ડોનેશન

અનંત અંબાણીએ ઓડિશાના જગન્નાથ મંદિર અને ગુવાહાટીના મા કામાખ્યા મંદિરને આપ્યું પાંચ કરોડ રૂપિયાનું ડોનેશન

18 April, 2024 11:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જ વર્ષે અંબાણી પરિવારે જામનગરમાં ૧૪ નવાં મંદિરોનું નિર્માણ કરાવ્યું છે

અનંત અંબાણી

અનંત અંબાણી


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ દેશનાં બે મોટાં મંદિરોને ૫ કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે. અનંતે ઓડિશાના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર અને આસામના મા કામાખ્યા મંદિરને અઢી-અઢી કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ચૈત્ર નવરાત્રિની અષ્ટમી નિમિત્તે ૨૯ વર્ષના અનંતે ગુવાહાટીમાં કામાખ્યા મંદિરમાં માતાજીનાં દર્શન કર્યાં હતાં. 
અનંત અને રાધિકા મર્ચન્ટ ભારતભરનાં મંદિરોમાં દર્શન કરવા જતાં હોય છે. આ જ વર્ષે અંબાણી પરિવારે જામનગરમાં ૧૪ નવાં મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. ગયા મહિને અનંત અને રાધિકાનું ભવ્યાતિભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં કરવા પહેલાં ડિસેમ્બર ૨૦૨૨માં તેમની રોકા વિધિ નાથદ્વારાના મંદિરના પ્રાંગણમાં કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2024 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK