પીએમ મોદી સાથે વાત કર્યા બાદ બસીરહાટ લોકસભા મતવિસ્તારના બીજેપી ઉમેદવાર રેખા પાત્રાએ કહ્યું કે પીએમએ તેમને મોટી જવાબદારી સોંપી છે.રેખા પાત્રાએ કહ્યું, "પીએમ મોદીએ આપેલી જવાબદારી અમે નિભાવીશું. તેમણે મારા જેવી ગરીબ મહિલાને બસીરહાટથી ટિકિટ આપીને પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે... સંદેશખાલીમાં જે માતાઓ અને બહેનો પર અત્યાચાર થઈ રહ્યો છે તેના માટે અમે લડીશું. અમારા પ્રયાસો તેમની લડાઈને આગળ લઈ જશે."