કોંગ્રેસના ચૂંટણી મૅનિફેસ્ટોની ટીકા દરમ્યાન વડાપ્રધાન મોદીની ‘વેલ્થ રીડિસ્ટ્રિબ્યુશન ટીપ્પણી’એ વિપક્ષમાં હોબાળો મચાવ્યો છે. રાજસ્થાનના બાંસવાડામાં પીએમ મોદીના તાજેતરના ભાષણે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા વિવાદ ઉભો કર્યો હતો. રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતી વખતે, પીએમ મોદીએ કોંગ્રેસની "સંપત્તિ પુનઃવિતરણ" ગેરંટીનો વિરોધ કર્યો. ૨૨ ,એપ્રિલના રોજ, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદીની ટિપ્પણી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે પીએમ મોદીના નિવેદન પર ઝડપી પ્રતિક્રિયા આપી તેમના પર “દ્વેષયુક્ત ભાષણ”નો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો.