ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે, 25 એપ્રિલના રોજ મીડિયા સાથ વાતચિત કરતાં દેશ અને તેના લોકો પ્રત્યે કૉંગ્રેસની સાચી માનસિકતા શું છે તે અંગે ટિપ્પણી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુપીએ સરકારના શાસન દરમિયાન આ માનસિકતા સ્પષ્ટ થઈ હતી અને વારસાગત કર પર સેમ પિત્રોડાની તાજેતરની ટિપ્પણીઓ દ્વારા તેને વધુ પ્રકાશિત કરવામાં આવી હતી. યોગી આદિત્યનાથે કૉંગ્રેસ પાર્ટી પર 60 વર્ષ દરમિયાન મોટા ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. તમને કહ્યું કે, તેઓ રાષ્ટ્રના કલ્યાણ સામે તેમના રાજકીય એજન્ડાને પ્રાથમિકતા આપે છે. તેમણે ખાસ કરીને વારસાગત કરના વિચારની ટીકા કરી અને તેને કૉંગ્રેસનો દેશના હિતોને નુકસાન પહોંચાડવાનો ઇરાદો ગણાવ્યો.