શું કૉન્ગ્રેસે પોતાની દુકાન બંધ કરી દેવી જોઈએ? : શર્મિષ્ઠા મુખરજી
દિલ્હી મહિલા કૉન્ગ્રેસના અધ્યક્ષ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં દીકરી શર્મિષ્ઠા મુખરજીએ આમ આદમી પાર્ટીની જીત થતાં કૉન્ગ્રેસની ખુશી પર કટાક્ષ કર્યો છે. ભૂતપૂર્વ નાણાંપ્રધાન અને કૉન્ગ્રેસના નેતા પી. ચિદમ્બરમના ટ્વીટને રિ-ટ્વીટ કરતાં શર્મિષ્ઠાએ પૂછયું કે શું કૉન્ગ્રેસે પોતાની દુકાન બંધ કરી દેવી જોઈએ?
આમ આદમી પાર્ટીને જીતના ચિદમ્બરમ તરફથી અભિનંદન પાઠવવાવાળા ટ્વીટને પોતાના ઑફિશિયલ હેન્ડલ પરથી રિ-ટ્વીટ કરતાં શર્મિષ્ઠાએ કહ્યું કે ‘સર, ઉચિત સમ્માનની સાથે બસ એટલું જ જાણવા માગીશ કે શું કૉન્ગ્રેસ પાર્ટી રાજ્યોમાં બીજેપીને હરાવવા માટે ક્ષેત્રીય દળોને આઉટસોર્સ કરી રહી છે? જો નથી તો પછી આપણે આપણી હાર પર મંથન કરવાની જગ્યાએ આપની જીત પર ગર્વ કેમ કરી રહ્યા છીએ? અને જો આમ છે તો આપણે (પ્રદેશ કૉન્ગ્રેસ કમિટી) સંભવતઃ પોતાની દુકાન બંધ કરી દેવી જોઈએ’.