અખિલેશની ટિપ્પણી પર ઉમર અબદુલ્લાએ કહ્યું...
અખિલેશ યાદવ
સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે ગઈ કાલે કોરોનાની રસી નહીં લેવાનું જણાવતા ભારે ટીકાનો ભોગ બનતા જણાવ્યું હતું કે કોરોના પ્રતિરોધક રસીકરણ લોકોના જીવન સાથે સંબંધિત અત્યંત નાજુક બાબત હોવાથી જડબેસલાક ઇંતેજામ વગર તેનો અમલ કરવો ન જોઈએ. અખિલેશે તેને ઉપરછલ્લો વિષય ગણીને હળવાશથી નહીં લેવાની સરકારને સલાહ આપી હતી.
અખિલેશ યાદવે ગયા શનિવારે કોવિડ પ્રતિરોધક રસીને ‘વૅક્સિન ઑફ બીજેપી’ ગણાવતાં કહ્યું હતું કે તેઓ(અખિલેશ) એ રસી લેવાના નથી. તેમના એ બયાન સામે શાસક પક્ષ બીજેપી ઉપરાંત કાશ્મીરના નૅશનલ કૉન્ફરન્સ પક્ષના નેતા ઉમર અબદુલ્લા તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવામાં આવી હતી. અબદુલ્લાએ કહ્યું હતું કે ‘વૅક્સિન કોઈ પાર્ટીની નથી, હું તો જરૂર લગાવીશ.’