Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાશી વિશ્વનાથ મંદિરમાં હવે પૂજાની સામગ્રી કાગળ અને કાપડની થેલી કે માટી-પિત્તળના સાધનમાં લઈ જવી પડશે

કાશી વિશ્વનાથ મંદિરમાં હવે પૂજાની સામગ્રી કાગળ અને કાપડની થેલી કે માટી-પિત્તળના સાધનમાં લઈ જવી પડશે

Published : 11 August, 2025 12:57 PM | IST | Kashi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલથી વારાણસીના મંદિર પરિસરમાં પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ અમલમાં

કાશીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર

કાશીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર


કાશીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર સંકુલને સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો અમલ ગઈ કાલથી શરૂ થયો છે અને કોઈ પણ વ્યક્તિ પ્લાસ્ટિકની થેલીમાં દૂધ, પ્લાસ્ટિકની થેલી કે ટોપલીમાં ફૂલો, ફૂલમાળા કે બિલિપત્રો, પ્લાસ્ટિકના લોટામાં ગંગાગળ કે પાણી જેવી કોઈ પણ પ્રકારની સામગ્રી સાથે મંદિરના પરિસરમાં પ્રવેશ કરી શકશે નહીં.

શ્રાવણ મહિના દરમ્યાન સિંગલ યુઝ પ્લાસ્ટિક પર તો પહેલાંથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે મંદિર-પ્રશાસને પર્યાવરણને સ્વચ્છ રાખવા અને મંદિર પરિસરને સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે આ પગલું ભર્યું છે. ફૂલો, ફૂલમાળા કે બિલિપત્રો હવે કાપડ કે કાગળની થેલીમાં અને દૂધ જેવી પૂજા સામગ્રી હવે માટી કે પિત્તળના સાધનમાં લાવવાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ ભક્ત કે દુકાનદાર આ નવા નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળશે તો તેને દંડ થઈ શકે છે અને સામગ્રી જપ્ત કરી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2025 12:57 PM IST | Kashi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK